રાજય માં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં ઘણા લોકો કોરોનમાં મૃત્યુ પામ્યા હતા . તેમજ સરકાર દ્વારા રાજ્યમાં લોકડાઉન લગાવીઓ દેવામાં આવ્યું હતું. જે અંતગ્રત અનેક કોલેજો તેમજ શાળાઓની પરીક્ષાઓ મોકૂફ રાખવામા આવી હતી. જે હવે કોરોના કેસ ઘટતા રાબેતા મુજબ શરૂ કરાયા છે. જે અંતર્ગત હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બીજા તબક્કાની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની પરીક્ષા પુરી થયે આગામી 14 ડિસેમ્બરથી બીજા તબક્કાની પરીક્ષા લેવા માટે ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બીએ, બીબીએ, બીસીએ, બીકોમ સેમેસ્ટર 3 સહિત 22 પરીક્ષાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો ;Omicron Effect / આફ્રિકા-યૂરોપની ટૂરના આયોજકોને મોટો ફટકો, હજારો લોકોએ ટૂર કેન્સલ કરાવી
પ્રથમ તબક્કાની પરીક્ષા પુરી થતાં આગામી 14 ડિસેમ્બરથી બીજા તબક્કાની પરીક્ષા લેવા માટે ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બીએ, બીબીએ, બીસીએ, બીકોમ સેમેસ્ટર 3 સહિત 22 પરીક્ષાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો ;Business / અર્થવ્યવસ્થામાં તેજી, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 8.4 ટકા
જેમાં બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષાને બાદ કરતા તમામ 21 પરીક્ષાનો સમય 3થી 5.30 સુધી રાખવામાં આવ્યો છે. જ્યારે બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષા સમય 10.30થી 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 14 ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં 58,059 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમની બેઠક વ્યવસ્થા કોવિડ ગાઈડલાઇન મુજબ કરવામાં આવશે.