Not Set/ SBI ટુંક સમયમાં કરી શકે છે, ડેબિટ કાર્ડ બંધ, જાણો શું છે હકીકત

SBIનાં અધ્યક્ષ રજનીશ કુમારે પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે, ડિજિટલ સમાધાન આપતું તેમનું યોનો પ્લેટફોર્મ, ડેબિટ કાર્ડ મુક્ત દેશ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કુમારે કહ્યું કે એટીએમ મશીનોમાંથી રોકડ ઉપાડ અથવા દુકાનમાંથી માલની ખરીદી યોનો દ્વારા થઈ શકે છે. જો ભારતીય સ્ટેટ બેંકની આ યોજના સફળ થાય છે, તો તમામ જગ્યાએ દેખાતા પ્લાસ્ટિક ડેબિટ કાર્ડ […]

Top Stories

SBIનાં અધ્યક્ષ રજનીશ કુમારે પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે, ડિજિટલ સમાધાન આપતું તેમનું યોનો પ્લેટફોર્મ, ડેબિટ કાર્ડ મુક્ત દેશ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કુમારે કહ્યું કે એટીએમ મશીનોમાંથી રોકડ ઉપાડ અથવા દુકાનમાંથી માલની ખરીદી યોનો દ્વારા થઈ શકે છે. જો ભારતીય સ્ટેટ બેંકની આ યોજના સફળ થાય છે, તો તમામ જગ્યાએ દેખાતા પ્લાસ્ટિક ડેબિટ કાર્ડ ભૂતકાળ જ બની જશે. દેશની સૌથી મોટી બેંક તેને વધુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી બદલવાની દિશામાં કામ કરી રહી છે.

‘યોનો’ થી જ ચુકવણી અને નીકળશે કેશ, SBI ડેબિટ કાર્ડને બંધ કરવા ઈચ્છે છે

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈનું લક્ષ્‍ય ડેબિટ કાર્ડ્સને ખતમ કરવાનું છે. જો તેમની યોજના સફળ થશે, તો પ્લાસ્ટિક ડેબિટ કાર્ડ ભૂતકાળની વાત હશે. એસબીઆઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને બદલવાની દિશામાં કામ કરી રહી છે. બેંકના અધ્યક્ષ રજનીશ કુમારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમે ડેબિટ કાર્ડને ચલણમાંથી બહાર બનાવવાની યોજના બનાવી છે. અમને વિશ્વાસ છે કે આપણે આ કરી શકીએ. કુમારે કહ્યું કે દેશમાં 90 કરોડ ડેબિટ કાર્ડ અને ત્રણ કરોડ ક્રેડિટ કાર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.