અમદાવાદ CAAના વિરોધમાં થયેલ હિંસા બાબતે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. શાહઆલમ વિસ્તારમાં ભડકેલી હિંસાના મામલામાં કોર્પોરેટર શહેઝાદ ખાન પોલીસ પર પથ્થરમારાના કેસમાં છેલ્લા કેટલાય સમયથી સેન્ટ્રલ જેલમાં બંધ છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ એકવાર દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં સેસન્સ કોર્ટે અંશતઃ જામીન મંજુર કાર્ય હતા.
શાહઆલમ/ ધરપકડનો દોર યથાવત, છ મહિલા સહિત વધુ ૧૫ની ધરપકડ
અમદાવાદ/ શાહઆલમમાં તોફાનમાં સામેલ 5000ના ટોળા સામે ફરિયાદ, આજે માહોલ શાંતિપૂર્ણ
ત્યાર બાદ શહેઝાદ ખાન દ્વારા રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેના પર આજે અમદાવદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી. જેમાં સેશન્સ કોર્ટ દ્વારા શેહ્ઝાદ ખાન સહીત અન્ય ૧૨ લોકોના જામીન મંજુર કરવામાં આવ્યા છે. હવે પછી આગામી ભવિષ્યમાં આ પ્રકરણો કોઈ જ ગુનો નહિ આચરવાની શરતે આ તમામ લોકોના જામીન મંજુર કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.