પ્રેમ એ શબ્દ છે કે જેની સાથે તમામ પ્રકારની લાગણીઓ જોડાયેલી હોય છે, કોઈને પ્રેમ કરવો અને કોઈનો પ્રેમ પામવો એ સરળ કાર્ય નથી. તમે વિશ્વની ઘણી લવ સ્ટોરીઝ સાંભળી હશે, દરેક લવ સ્ટોરીની પોતાની એક ખાસ વસ્તુ હોય છે. આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના માટે આપણે ઘણું કરીએ છીએ, દરેક તેમના પ્રેમ માટે કંઈક કરે છે. આજે અમે તમને સાચા પ્રેમની કહાની કહેવા જઈ રહ્યા છીએ, આ વાર્તા આ દિવસોમાં હેડલાઇન્સમાં રહી છે, ચાલો તમને જણાવીએ આખી વાર્તા… મધ્યપ્રદેશના બુરહાનપુરથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક વ્યક્તિએ તેની પત્નીને તાજમહેલ જેવું ઘર ભેટમાં આપ્યું હતું, જેને બનાવવામાં અને સજાવવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. જાણકારી અનુસાર આ ઘરમાં ચાર બેડરૂમ, એક કિચન, લાઈબ્રેરી, મેડિટેશન રૂમ છે. આ આલીશાન ઘરનો વિસ્તાર ટાવર સાથે 90×90 જણાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :આ તમે શું કર્યું સમીર દાઉદ વાનખેડે… નવાબ મલિકે ફરી ફોડ્યો ફોટો બોમ્બ
આ પણ વાંચો : મહામારીને હરાવી રહ્યુ છે ભારત, 538 દિવસ બાદ આજે નોંધાયા સૌથી ઓછા કોરોનાનાં કેસ
બિલકુલ તાજમહેલ જેવું દેખાતું આ ઘર બુરહાનપુરના શિક્ષણવિદ આનંદ પ્રકાશ ચૌકસેએ તેમની પત્ની મંજુષાને તાજમહેલ જેવું ઘર ગિફ્ટ કર્યું છે. આ ઘરમાં 4 શયનખંડ, એક રસોડું, એક પુસ્તકાલય અને એક મેડિટેશન ખંડ છે. આ ઘરને બનાવવામાં 3 વર્ષ લાગ્યા હતા. તાજમહેલ જેવા આ ઘરનો વિસ્તાર મિનાર સહિત 90×90 છે. ઘરની અંદર કોતરણી માટે બંગાળ અને ઈન્દોરના કલાકારોની મદદ લેવામાં આવી છે. રાજસ્થાનના મકરાણાના કારીગરો દ્વારા ઘરનું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. આગ્રાના ઉત્તમ કારીગરો દ્વારા જડતરનું કામ કરવામાં આવ્યું છે.
તાજમહેલ જેવું ઘર બનાવનાર એન્જીનિયરે જણાવ્યું કે, તાજમહેલ જેવાં ઘરના નિર્માણમાં અનેક અડચણો આવી. આવું એટલાં માટે કારણ કે, એ માટે તેઓએ અસલી તાજમહેલનું ખૂબ જ બારીકાઇથી અધ્યયન કરવું પડ્યું હતું. તાજમહેલ જેવાં ઘરમાં ડોમ 29 ફૂટ ઉંચું રાખવામાં આવ્યું. જેમાં એક મોટો હોલ, 2 બેડરૂમ નીચે, 2 બેડરૂમ ઉપર છે. એક રસોડું, એક લાઇબ્રેરી અને એક મેડિટેશન રૂમ પણ આમાં બનાવવામાં આવ્યાં છે. ઘરની અંદર કરવામાં આવેલી નક્શીકામ માટે બંગાળ અને ઇન્દોરના કલાકારોની મદદ લેવામાં આવી. આ ઘરને ઇન્ડિયન કન્સ્ટ્રક્ટિંગ અલ્ટ્રાટેક આઉટ સ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર ઑફ એમપીનું એવોર્ડ મળી ચૂક્યો છે.
આ પણ વાંચો : શું 2025 સુધીમાં યમુના સ્વચ્છ થઈ જશે?
આ પણ વાંચો :પશ્ચિમ યુપીમાં 110માંથી 100 બેઠકો પર ખેડૂતોનું વર્ચસ્વ, રાજકીય ગણિત સમજો – સરકારે કેમ પીછેહઠ કરવી પડી
આ પણ વાંચો : BKU ના રાકેશ ટિકૈતે AIMIM ચીફના CAA-NRC નિવેદન પર પલટવાર કર્યો, કહ્યું- ભાજપ અને ઓવૈસી કાકા ભત્રીજા જેવા છે