લોકપ્રિય ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. અભિનેતાના મૃત્યુથી તેનો પરિવાર અને નજીકના મિત્રો આઘાતમાં હતા. સિદ્ધાર્થની વિદાય સિદ્ધાર્થની ખાસ મિત્ર શહનાઝ ગિલ માટે સૌથી મોટી ખોટ હતી. તે હજુ સુધી સિદ્ધાર્થને ગુમાવવાના દુ:ખમાંથી બહાર નીકળી શકી નથી.
આ પણ વાંચો :સલીમ ખાને અમિતાભ બચ્ચનને આપી આ સલાહ, શું બિગ બી માનશે તમની વાત?
શું શહનાઝ ગિલ મુંબઈ છોડવા જઈ રહી છે, જાણો શું છે સત્ય?
ધીમે ધીમે શહનાઝ ગિલ સામાન્ય જીવનમાં પાછા આવવાનો પ્રયાસ કરી રહી છે. શહનાઝ ગિલ કામ પર પરત ફરી છે. તેણીએ તેની આગામી ફિલ્મ હોંસલ રખનું પ્રમોશન શરૂ કરી દીધું છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સિદ્ધાર્થના મૃત્યુ પછી, શહનાઝ ગિલે હવે મુંબઈને કાયમ માટે છોડી દેવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર બહાર આવતા જ સિડનાઝના ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા. પરંતુ ચાહકોને રાહત આપતા, અમે આપને જણાવી દઈએ કે આ સમાચાર ખોટા છે. દરેકની મનપસંદ શહનાઝ મુંબઈ છોડી રહી નથી.
એક અહેવાલમાં સ્પોટબોયે સૂત્રને ટાંકીને કહ્યું છે કે આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. આ વીડિયો યુટ્યુબ ચેનલ પર બનાવવામાં આવ્યો છે. તે યુટ્યુબ ચેનલના વીડિયોની સામગ્રી સાચી નથી. ઘણી બધી લાઇક્સ અને ટ્રેન્ડ મેળવવા માટે તે ચેનલ પર ખોટા સમાચારો કહેવામાં આવે છે.
આ પણ વાંચો :નુસરત જહાંના ફોટાથી થયો ખુલાસો, એક્ટ્રેસ યશ દાસગુપ્તા સાથે કરી લીધા લગ્ન!
શહનાઝ ગિલની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. જેમાં શહેનાઝ ગિલ પ્રખ્યાત પંજાબી કલાકારો દિલજીત દોસાંજ અને સોનમ બાજવા સાથે જોવા મળશે.
ચાહકો શહેનાઝની આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મના પ્રમોશનથી શહનાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં શહનાઝ ઉદાસ દેખાય છે. આ વીડિયો જોયા બાદ સિડનાઝના ચાહકોની આંખો ભીની થઈ ગઈ. તેના ચાહકો શહનાઝની આવી હાલત જોઈ શકતા નથી. ચાહકો શહનાઝને મજબૂત રહેવા માટે કહી રહ્યા છે.
આ પણ વાંચો :તાપસી પન્નુ અને ફિલ્મ રશ્મિ રોકેટની ટીમ નવરાત્રી ઉજવવા આવશે અમદાવાદ
આ પણ વાંચો :અક્ષય કુમારે પૂર્ણ કર્યું ફિલ્મ રક્ષાબંધનનું શૂટિંગ, જાણો ક્યારે થશે રિલીઝ
આ પણ વાંચો :અનુજ કાપડિયા સાથે અનુપમાએ પ્લેનમાં કર્યો રોમેન્ટિક ડાન્સ, સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો