શામળાજી,
શામળાજીના દેવાની મોરી ગામનો સ્મશાને જવાનો રસ્તો બંધ થતા મૃતદેહ રઝડ્યો હતો, રસ્તામાં અંતિમક્રિયા કરવા માટે ડાઘુઓ મજબૂર બન્યા.હિમ્મતપુર ગામના આધેડનું મરણ થતા દેવની મોરી સ્મશાનમાં અંતિમક્રિયા માટે લવાયો હતો. પરંતુ સ્મશાનનો રસ્તો બંધ હોવાથી રસ્તામાં અંતિમક્રિયા કરવાની ફરજ પડી હતી. મૃતકને અંતિમ ક્ષણે પણ સ્મશાનની મૂળ જગ્યા પ્રાપ્ત ન થતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી.