ચોથા સ્તંભને ભ્રષ્ટ કરવાનું કૃત્ય – શંકરસિંહ વાઘેલા
રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને NCP નેતા શંકરસિંહ વાઘેલાએ રાજકોટ કલેકટર ચેક કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું કે તમામ પત્રકારોએ CMને ચેક પાછા આપવા જોઈએ. શંકરસિંહ વાઘેલાએ સમગ્ર ચેકકાંડને ચોથા સ્તંભને ભ્રષ્ટ કરવાનું કૃત્ય ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મુખ્યમંત્રી દ્વારા તેમના જ હોમ ટાઉન રાજકોટમાં દબદબાભેર કરવામાં આવી હતી. અને હવે અહીજ રાજકોટ કલેકટર દ્વારા પત્રકારોને 50 હજારનો ચેકનું વિતરણ કરતા સ્થાનીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.