કોલ્હાપુર એ કર્ણાટક અને મહારાષ્ટ્રની સરહદ છે. બેલગામ કર્ણાટકનો એક ભાગ છે, પરંતુ મરાઠી નેતાઓનું માનવું છે કે તે મહારાષ્ટ્રનો ભાગ હોવો જોઈએ.
શિવસેના સમર્થકોએ કોલ્હાપુરમાં એક થિયેટર બંધ કરાવ્યું છે. થિયેટરમાં એક કન્નડ ફિલ્મ ચાલી રહી હતી. શિવસેનાના સમર્થકોએ બોર્ડ પર કાળી શાહી પણ લગાવી હતી. હકીકતે કોલ્હાપુર એ કર્ણાટક અને મહારાષ્ટ્રની સરહદ પર છે. બેલગામ કર્ણાટકનો એક ભાગ છે, પરંતુ મરાઠી નેતાઓનું માનવું છે કે તે મહારાષ્ટ્રનો ભાગ હોવો જોઈએ. આને કારણે બંને રાજ્યોમાં સતત તણાવની સ્થિતિનું નિર્માણ થયું છે.
આ તણાવને કારણે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. હવે બંને રાજ્યો વચ્ચે બસો પણ દોડતી નથી. આજે શિવસેનાઓએ કોલ્હાપુરમાં થિયેટર બંધ કરાવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે.
બસ સેવાઓ બંધ કરો
કર્ણાટકમાં પણ કંઈક આવો જ તણાવ છે જ્યાંથી બસ મહારાષ્ટ્ર તરફ આવી રહી નથી. બે દિવસ પહેલા કર્ણાટકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું પુતળું દહન કરાયું હતું. શિવસેનાના સાંસદ ધૈરશીલ માનેએ આ મામલે કહ્યું હતું કે, ‘કર્ણાટકમાં મરાઠી રહે છે શિવસેના તેમની સાથે છે. કર્ણાટકના કેટલાક લોકોએ ઉદ્ધવ ઠાકરેનું પુતળું દહન કરવાનો પ્રયાસ કર્યો. આજે અમે તેમને અહીં બતાવી આપ્યું છે.
આ પ્રકરણમાં, હાલમાં તણાવ ઓછો થયો હોય તેવું લાગતું નથી. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એક સમાન વાતાવરણ છે. બંને રાજ્યોની સરહદ પર સ્થિતિ કફોડી બની છે. તણાવને ધ્યાનમાં રાખીને સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.