બફાટ!/ શિવરાજ પાટીલનું વિવાદાસ્પદ નિવેદન, ગીતાના ઉપદેશને લઇને કહી આ વાત..

એક પુસ્તકના વિમોચનમાં હાજરી આપવા ગયેલા શિવરાજ પાટીલે કહ્યું છે કે જેહાદ માત્ર કુરાનમાં નથી, ગીતામાં પણ જેહાદ છે

Top Stories India
5 31 શિવરાજ પાટીલનું વિવાદાસ્પદ નિવેદન, ગીતાના ઉપદેશને લઇને કહી આ વાત..

કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. એક પુસ્તકના વિમોચનમાં હાજરી આપવા ગયેલા શિવરાજ પાટીલે કહ્યું છે કે જેહાદ માત્ર કુરાનમાં નથી, ગીતામાં પણ જેહાદ છે, જીસસમાં પણ જેહાદ છે. તેમના આ એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 

શિવરાજ પાટીલે કહ્યું છે કે જેહાદ માત્ર કુરાનમાં જ નથી ગીતા અને જીસસમાં પણ છે. જ્યારે બધા પ્રયત્નો પછી પણ સ્વચ્છ વિચારોને કોઈ સમજતું નથી, ત્યારે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. ગીતાના અંશમાં જેહાદ છે જે મહાભારતની અંદર છે. મહાભારતમાં શ્રી કૃષ્ણજીએ પણ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો હતો.