ખેડા જિલ્લાના મહેમદાવાદ ઐતિહાસિક નગર તરીકે જાણીતું છે, શહેર તેની સ્વસ્છતા માટે જાણીતું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્છ અભિયાન અતર્ગત શહેર એકદમ ચોખ્ખુ રહે છે પરતું છેલ્લા 4 મહિનાથી ખાત્રેજ દરવાજા બહાર નગરપાલિકાના હોલ એસ.વાય. મન્સુરી પાસે ગટરનું પાણી ઉભરાયું છે અને તેનું પાણી ચોમેર ફેલાયું છે.આ વિસ્તારમાં ચોમેર ગટરના પાણીના લીધે રોગચાળો ફેલાવવાની દહેશત હોવા છંતા પણ કોઇ પગલા લેવામાં આવતા નથી.આ સમાચાર મંતવ્ય ન્યુઝ વેબમાં સવારે 11 કલાકે વેબમાં પ્રકાશિત કર્યા હતા ,આ સમાચાર આવતાની સાથે નગરપાલિકા તંત્ર દોડતું થઇ ગયું હતું અને બે જ કલાકમાં ગંદકી અને સફાઇ સાફ કરવાનો અભિયાન હાથ ધર્યું હતું
મંતવ્ય વેબ ન્યુઝના પડઘા પડ્યા હતા અને તંત્ર કામે લાગી ગયું હતું, આ સમમસ્યોનો નિરાકરણ થતાં આજુબાજુ સોસાયટીના રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને મંતવ્ય ન્યુઝનો આભાર માન્યો હતો.