Not Set/ સિદ્ધુએ PM મોદીની ખોલી પોલ, કહ્યુ કેટલા વાયદાઓ કર્યા પુરા જણાવે જનતાને

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પોતાના બેબાક અંદાજ માટે દુનિયાભરમાં જાણીતા છે. તેમણે પોતાના આ જ બેબાક અંદાજ સાથે PM મોદી પર નિશાનો લગાવ્યો અને કહ્યુ હતુ કે, PM મોદી વર્ષ 2014માં  ગંગા સાફ કરવાના વાયદાઓ સાથે સત્તા પર વિરાજ થયા હતા, પરંતુ હવે તે 2019માં રાફેલનાં ધબ્બાઓ સાથે સત્તાથી બહાર થઇ જશે. સિદ્ધુએ આજે […]

Top Stories India Politics
Navjot Singh Sidhu સિદ્ધુએ PM મોદીની ખોલી પોલ, કહ્યુ કેટલા વાયદાઓ કર્યા પુરા જણાવે જનતાને

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પોતાના બેબાક અંદાજ માટે દુનિયાભરમાં જાણીતા છે. તેમણે પોતાના આ જ બેબાક અંદાજ સાથે PM મોદી પર નિશાનો લગાવ્યો અને કહ્યુ હતુ કે, PM મોદી વર્ષ 2014માં  ગંગા સાફ કરવાના વાયદાઓ સાથે સત્તા પર વિરાજ થયા હતા, પરંતુ હવે તે 2019માં રાફેલનાં ધબ્બાઓ સાથે સત્તાથી બહાર થઇ જશે. સિદ્ધુએ આજે પ્રેસ કોન્ફરંન્સ કરી મોદી સરકાર પર ફરી એકવાર હુમલાઓ કર્યા છે. સિદ્ધુએ કહ્યુ કે, ગંગા સફાઇમાં કથની અને કરનીમાં ઘણો અંતર છે.

BBW01Rm સિદ્ધુએ PM મોદીની ખોલી પોલ, કહ્યુ કેટલા વાયદાઓ કર્યા પુરા જણાવે જનતાને

સિદ્ધુએ કહ્યુ કે, વારાણસીમાં ગંગા સૌથી વધુ પ્રદૂષિત છે. તેમણે કહ્યુ કે, ગંગાની સફાઇમાં હજુ 200 વર્ષ થશે. સાથ તેમણે કહ્યુ કે, ‘PM મોદી એક ઉચી દુકાન, ફીકી પકવાનની જેમ છે.’ કોંગ્રેસને તેમણે અરબી ઘોડો બતાવ્યા તો બીજેપીની તુલના તેમણે પ્રિંસ ચાલ્સનાં દર્શની ઘોડા સાથે કરી. તેમણે કહ્યુ કે, બીજેપી આ વખતે માત્ર જુઠની લહેર ચલાવી રહી છે, ગંગા પાંચ વર્ષમાં બિલકુલ પણ સાફ થઇ નથી. એકતરફ વાર્ષિક 2 કરોડ રોજગારની વાત કરવામાં આવી હતી, જે માત્ર કાગળમાં જ રહ્યુ.

nav Modi 140406 730x419 m સિદ્ધુએ PM મોદીની ખોલી પોલ, કહ્યુ કેટલા વાયદાઓ કર્યા પુરા જણાવે જનતાને

નવજોત સિંહ સિદ્ધુએ PM મોદી પરં તંજ કસતા કહ્યુ કે, તે માત્ર દર્શન આપે છે, તે પોતાની જુઠની લહેરમાં ડૂબવાનાં છે. વધુમાં તેમણે કહ્યુ કે, મોદીનું નામ મોટુ પણ દર્શન ખોટુ બરાબર છે.