બોલિવૂડ અભિનેતા અજય દેવગણને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે . બોલિવૂડની ‘સિંઘમ’ સાથે કંઈક એવું થયું કે જે તમારા હોશ ઉડાવી દેશે. અભિનેતાને પ્રોડક્શન હાઉસને કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. સાંભળવામાં આવ્યું છે કે અજય દેવગનને 2 કલાક માટે Lock કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે શું સહન કર્યું તે પણ હવે જાહેર થયું છે.
અજય દેવગણના ફેન્સ આ સાંભળી વધુ ચિંતિત થયા છે કે તેમના પ્રિય એક્ટરની આવી હાલત થઈ. સિંઘમ ફેમ અભિનેતા અજય દેવગણે હજુ ગઈકાલે જ પોતાના બર્થ-ડે શાનદાર રીતે ઉજવ્યો હતો. દેવગણના બર્થ-ડે પર મેદાન ફિલ્મનું ટ્રિઝર લોન્ચ કરાયું હતું જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે.
વાસ્તવમાં એવા સમાચાર સામે આવ્યા છે કે પોતાની આગામી ફિલ્મ ‘રેઈડ 2’ના શૂટિંગ માટે આવેલો અજય દેવગન અકસ્માતે તેની વેનિટી વેનમાં ફસાઈ ગયો. તેને અહીં 2 કલાક રોકાવાનું હતું. પરંતુ તેનું કારણ એ નથી કે અભિનેતાના વેનિટીના તાળામાં ખામી હતી અથવા કોઈએ ભૂલથી અથવા જાણી જોઈને તેને અંદરથી તાળું મારી દીધું હતું. આ મામલો કંઈક અલગ છે. સાંભળ્યા પછી તમે પણ કહેશો કે એક્ટર સાથે શું થયું. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના જોધપુરમાં ખીવાશર ફોર્ટ લોકેશન પર તેની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.
પાણી બંધ થવાનું કારણ
આ સમય દરમિયાન, અભિનેતા તેની વેનિટી વેનમાં ગયો અને ફ્રેશ થવા લાગ્યો પરંતુ તેને ખ્યાલ નહોતો કે તેના વેનિટીમાં પાણી નથી. જ્યારે તે ફ્રેશ થઈ રહ્યો હતો ત્યારે પાણીના અભાવે તે ત્યાં જ ફસાઈ ગયો. તે જ સમયે, મુશ્કેલી વધુ વધી ગઈ જ્યારે તેને યાદ આવ્યું કે તે તેની સાથે તેનો ફોન પણ લાવ્યો ન હતો. આવી સ્થિતિમાં તે ન તો કોઈને અંદર બોલાવી શકતો અને ન તો પોતે બહાર જઈ શકતો. તો પછી શું, અભિનેતાએ આ સ્થિતિમાં 2 કલાક ચૂપચાપ કોઈના આવવાની રાહ જોવી પડી.
પાણીની ટાંકી થઈ ખાલી
ફ્રેશ થઈને વેનિટીમાં પાણીની ટાંકી ખાલી હોવાથી અભિનેતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોઈક રીતે તે 2 કલાક પછી બહાર આવી શક્યો. જો તેની ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ નવેમ્બર 2024માં રિલીઝ થઈ શકે છે. તેમાં અજય દેવગનની સાથે વાણી કપૂર અને રિતેશ દેશમુખ પણ જોવા મળશે. આ ફિલ્મને રાજ કુમાર ગુપ્તા ડિરેક્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો:UPSC/યુપીએસસીએ એનડીએ અને નેવલ એકેડેમી પરીક્ષાના પરિણામોની જાહેરાત કરી
આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા
આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે