Gujarat News : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી હતી. 4 નવેમ્બર એટલે કે આજથી ગુજરાત સહિત દેશના 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાશે. આ દરમિયાન ગુજરાતના નાગરિકોએ શું કરવું પડશે? તમારે કયા દસ્તાવેજ આપવા પડશે? તમામ વિગતો અહીં જાણો.
SIRનું આયોજન બિહાર પછી જે 12 રાજ્યો કરશે તેમાં ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે: આંદામાન અને નિકોબાર ટાપુઓ, પુડુચેરી અને લક્ષદ્વીપ. SIRના આ તબક્કામાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ ,છત્તીસગઢ, , ગોવા, કેરળ, અને પશ્ચિમ બંગાળ રાજ્યોનો સમાવેશ થાય છે. બૂથ-સ્તરીય 533,000 અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, અને રાજકીય પક્ષના આશરે 7,64,000 કાર્યકરો પણ સક્રિયપણે ભાગ લેશે.
SIR: કયા ફોર્મની ક્યારે જરૂર પડશે?
મતદારોની જરૂરિયાત મુજબ ત્રણ મુખ્ય ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.
ફોર્મ 6 (Form 6): અથવા તમારું નામ હજી સુધી યાદીમાં ન હોયઅથવા તમે જો નવા મતદાર હોવ , તો આ ફોર્મ નવા મતદાર તરીકે નામ ઉમેરવા માટે ભરવું.
ફોર્મ 7 (Form 7): મતદાર યાદીમાંથી જો તમારું નામ હટાવવું હોય (દા.ત., સ્થળાંતર અથવા મૃત્યુના કિસ્સામાં), તો આ ફોર્મ ભરવું.
ફોર્મ 8 (Form 8): જો તમારા મતદાર કાર્ડમાં નામ, સરનામું, કે અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય અને તેને સુધારવી હોય, તો આ ફોર્મ ભરવું.
જો તમારું નામ યાદીમાં ન હોય તો કયા દસ્તાવેજો આપવાના રહેશે?
– કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઓર્ડર
– 1.07.1987 પહેલા સરકાર/બેંક/સ્થાનિક સત્તાવાળાઓ/એલઆઈસી/પોસ્ટ ઓફિસ//પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ
– સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર.પાસપોર્ટ
– માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક/શૈક્ષણિક પ્રમાણપત્ર
– સક્ષમ રાજ્ય સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કાયમી નિવાસ પ્રમાણપત્રવન અધિકાર પ્રમાણપત્ર
– ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર
– રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (જ્યાં પણ તે હોય)
– રાજ્ય/સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
– સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર
– આધાર માટે, પત્ર નં. 23/2025-ERS/ભાગ II તારીખ 09.09.2025 દ્વારા જારી કરાયેલ કમિશનના નિર્દેશો લાગુ પડશે, જેનો અર્થ એ છે કે તે વૈકલ્પિક છે.
ગણના બાદ 9 ડિસેમ્બરે મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ દાવા અને વિરોધ નોંધાવી શકાય છે, જે 8 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી નોટિસ ફેઝ રહેશે, જેમાં સુનાવણી અને વેરિફિકેશનનું કામ કરવામાં આવશે. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ 2026 અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.4 નવેમ્બરથી ગુજરાતમાં SIRની પ્રક્રિયા શરૂ થશે.
ચૂંટણી પંચની આ કામગીરીમાં રાજકીય પક્ષો પણ સક્રિય ભૂમિકા ભજવશે. ગુજરાતમાં ભાજપ દ્વારા આ માટે તૈયારી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે ટાઉનહોલાં ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ભાજપના તમામ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે
આ પણ વાંચો:અભિનેતા અનિલ કપૂરને દિલ્હી હાઈકોર્ટ તરફથી મળી રાહત, જાણો શું છે મામલો

