ઉત્તરપ્રદેશના બહરાઈચમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, બસ અને ટ્રક અથડાતા છ લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી રહી છે. ઘટના બહરાઈચના જરવાલ વિસ્તારના તાપેસીપાહ વિસ્તારની છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે ચાર વાગ્યે થયો હતો. ધુમ્મસના કારણે ઝડપભેર ટ્રકે રોડવેઝની બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 15 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આમાંના કેટલાક લોકોની ગંભીર હાલત જોઈને તેમને લખનૌના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.ઇજાગ્રસ્તનો સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.