Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. જે ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો છે.

Top Stories
corona123 3 રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર તળીયે પહોંચી છે,કોરોનાના નવા સંક્રમણના કેસ હવે બે સંખ્યામાં જોવા મળે છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના નવા કેસ 20 નોંધાયા છે. જે ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં જોવા મળી રહી છે ,ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય જોવા મળી છે .છેલ્લા 24 કલાકમાં નવા કોરોના સંક્રમણના કેસ 20 નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કુલ  8,25,419 કેસ નોંધાયા છે.રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયુ નથી. રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,678 પર પહોંચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 156 નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં જોવા મળે છે ,રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોના સસામે અસરકારક ભૂમિકા ભજવી રહ્યા છે. અને ગુજરાતમાં હાલ કોરોના વેક્સિન અભિયાન પર ભાર મુકવામાં આવ્યું છે,આ ઉપરાંત અનેક સ્થળો પર રસીકરણ કેન્દ્ર  કાર્યરત કરવામાં આવ્યા છે.હાલ કોરોનાની સ્થિતિ સામાન્ય હોવાથી રાજ્ય સરકારે કોવિડ-19માં અનેક છૂટછાટ પણ આપવામાં આવી છે.નવરાત્રિ તહેવારમાં પણ મર્યાદિત સંખ્યા અને કોરોનાની ગાઇડલાન સાથે ઉજવણી કરવાની મંજૂરી આપી છે.