ઉત્તરપ્રદેશમાં સંભલના સપા સાંસદ ડો શફીકર રહેમાન બર્કનું નિધન થયું. 95 વર્ષીય સપા સાંસદ ડો શફીકર રહેમાન બર્કનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. પાંચ વખત સંસદ સભ્ય રહી ચૂકેલા શફીકર રહેમાન બર્કના નિધન પર રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો. પીએમ નરેન્દ્ર મોદીએ પણ સપાના સાંસદ શફીકર રહેમાન બર્કના વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે 93 વર્ષના હોવા છતાં ડૉ. બર્ક આ ગૃહમાં બેઠા છે. દરેક વ્યક્તિએ ગૃહ પ્રત્યે આટલી વફાદારી રાખવી જોઈએ.
દેશના સૌથી વૃદ્ધ સાંસદ શફીકર રહેમાન બર્કે મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં સોમવારે મોડી રાત્રે તેમને અચાનક તાવ અને બેચેનીની ફરિયાદ થઈ હતી. અને મંગળવારે હોસ્પિટલમાં દેહ છોડ્યો. તેઓ સંભલ વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને એક વખત રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ડો. બર્ક સૌથી વયોવૃદ્ધ સાંસદ હોવા ઉપરાંત સૌથી વૃદ્ધ ઉમેદવાર પણ બન્યા હતા.
ફેબ્રુઆરીની શરૂઆતમાં સાંસદ ડો શફીકર રહેમાન બર્કને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની તબિયત લથડી હતી. લગભગ એક મહિનાની સારવાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો અને મંગળવારે તેમનું મૃત્યુ થયું હતું. ડૉક્ટરોનું કહેવું છે કે તેના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમની પૌત્રી એક ડૉક્ટર છે જેની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી.
લોકસભા ચૂંટણી પહેલા દિગ્ગજ નેતા અને સાંસદના નિધનથી સપા અને અખિલેશ યાદવને મોટો ફટકો પડ્યો છે. તેમના નિધનના સમાચારથી સપામાં શોકનું મોજુ છે. જણાવી દઈએ કે ડૉ. શફીકર રહેમાન બર્કને પણ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. શફીકર રહેમાન બર્ક 4 વખત ધારાસભ્ય અને 5 વખત સાંસદ રહી ચુક્યા છે. સૌ પ્રથમ, ડૉ. શફીકર રહેમાન બર્કે 1967માં સંભલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને રાજકારણની શરૂઆત કરી હતી, પરંતુ ચૂંટણી હારી ગયા હતા. બે વર્ષ બાદ 1969માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ 1974માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પછી તેઓ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 1996માં પહેલીવાર મુરાદાબાદ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ બન્યા. આ પછી તેઓ સતત પાંચમી વખત સાંસદ બન્યા. આ વખતે પણ એસપીએ બર્ક પર જ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સપા પાર્ટી દ્વારા તેમના અનુભવી અને દિગ્ગજ નેતા માટે શ્રદ્ધાંજલિ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને અનેક વખત સાંસદ રહી ચૂકેલા શ્રી શફીકર રહેમાન બાર્ક સાહેબનું નિધન અત્યંત દુઃખદ છે.
આ પણ વાંચો: PM Mod/પંકજ ઉધાસના નિધન પર PM મોદીનું ભાવુક ટ્વીટ, કહ્યું- તેમની ગઝલો સીધી આત્માથી…
આ પણ વાંચો: Pankaj Udhas Death/જાણીતા ગઝલકાર પંકજ ઉધાસના મશહૂર ગીતો, આજે પણ ચાહકોના દિલોમાં કરે છે રાજ
આ પણ વાંચો: Arvalli Crime/અરવલ્લી : અહેવાલના પડઘા, વાહન ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસકર્મીની થઈ બદલી