દિલ્હી એરપોર્ટ પર મંગળવારે સ્પાઈસ જેટના એક વિમાનમાં એન્જિન મેન્ટેનન્સના કામ દરમિયાન આગ લાગી હતી. એરલાઇન કંપનીનું કહેવું છે કે એરક્રાફ્ટ અને મેઇન્ટેનન્સ કર્મચારીઓ સુરક્ષિત છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “25 જુલાઈના રોજ, સ્પાઈસજેટ Q400 એરક્રાફ્ટ જાળવણી હેઠળ હતું, જ્યારે નિષ્ક્રિય શક્તિ પર એન્જિન ગ્રાઉન્ડ ચલાવી રહ્યું હતું, ત્યારે AME એ એન્જિન 1 પર આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ, આ ઘટના આજે રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ બની હતી. જેમાં દિલ્હી એરપોર્ટ પર એન્જિન મેન્ટેનન્સના કામ દરમિયાન સ્પાઈસ જેટના વિમાનમાં આગ લાગી હતી. જે બાદ તરત જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. એરલાઈન કંપનીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. વિમાન અને જાળવણી કર્મચારીઓ સુરક્ષિત છે.