ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંદુલકરના પુત્ર અર્જુન તેંદુલકરને શ્રીલંકા પ્રવાસ માટે ભારતની અન્ડર-19 ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ટીમ શ્રીલંકામાં ચાર દિવસીય અને વનડે મેચ રમશે. 18 વર્ષીય ઓલરાઉન્ડરની ચાર દિવસીય મેચ માટે પસંદગી કરવામાં આવી છે.
ડાબા હાથમાં ફાસ્ટ બોલર અર્જુનને ચાર દિવસીય મેચમાં શામેલ કરવામાં આવ્યા છે પરંતુ તેઓ વનડે મેચની ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થયા નથી. ટીમ શ્રીલંકાના પ્રવાસમાં 2 ચાર દિવસીય મેચ અને પાંચ વનડે મેચ રમશે.
અર્જુન અન્ડર-19 ઝોનલ ક્રિકેટ એકેડમીનો મહત્વનો હિસ્સો છે. આશિષ કપૂર, જ્ઞાનેન્દ્ર પાંડે અને રાકેશ પરીખની પસંદગી સમિતિએ ટીમની ઘોષણા કરી હતી.
ભારતીય ટીમ આવતા મહીને શ્રીલંકા પ્રવાસ કરશે. ચાર દિવસીય ટીમના કેપ્ટન દિલ્હીના વિકેટકીપર બેટ્સમેન અનુજ રાવત કરશે. વનડે ટીમના કેપ્ટન આર્યન જુયલ રહેશે, જેમણે ઉત્તર પ્રદેશ તરફથી વિજય હઝારે ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું.