નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-૨૦ સિરીઝ માટેની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની બાદબાકી કરવામાં આવી છે.
સિલેકશન કમિટી દ્વારા એમ એસ ધોનીને ભારતીય ટીમમાં ન સમાવ્યા બાદ આ ઉદ્દે નવી એક ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે હવે આ નિર્ણયને લઈ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું એક નિવેદન સામે આવ્યું છે.
સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, “મને ખબર નથી કે આ નિર્ણય પાછળ સિલેકશન કમિટીની શું માનસિકતા છે અને ડ્રેસિંગ રૂમમાં શું માહોલ છે. જે નિર્ણય લેવામાં આવ્યા છે, તે કમિટી પાસે જ રહેવા જોઈએ, હું આ નિર્ણય પર કોઈ સવાલ ઉઠાવી શકતો નથી”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “એમ એસ ધોની ક્રિકેટન અ તમામ ફોર્મેટ માટે ખતરનાક ખેલાડી રહ્યા છે અને તેઓ જાણે છે કે, તેઓએ શું કરવું જોઈએ”.
દુનિયામાં ૧૦૦ સદી ફટકારનાર તેંડુલકરે જણાવ્યું હતું કે, “હું એ આ પ્રકારનો સમય જોયો છે અને મને ખબર જ હતું કે, મારે શું કરવું જોઈએ અને ધોની પણ સારી રીતે જાણે છે કે, તેઓને શું કરવું જોઈએ”.
વિરાટ કોહલીએ ધોનીની બાદબાકી કરાયા અંગે કર્યો આ ખુલાસો
વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, “એમ એસ ધોની વન-ડે ટીમનો મહત્વનો ભાગ બની રહેશે, પરંતુ આ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દ્વારા યુવાન ખેલાડી વૃષભ પંતની જગ્યા માટે આગામી ટી-૨૦ શ્રેણીમાં નહિ રમવાનો નિર્ણય કર્યો છે”.
વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ મેચ જીત્યા બાદ કોહલીએ જણાવ્યું હતું કે, “હું આ અંગે ખોટો નથી તો, મને લાગે છે કે, સિલેકશન કમિટી આ પહેલા જ પોતાની સ્પષ્ટતા કરી ચુક્યા છે”.
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, “હું આ વાતચીતનો ભાગ નથી, જેથી સિલેક્ટરોએ જે બતાવ્યું છે તે જ થયું છે. મને લાગે છે કે, લોકો આ મુદ્દે વધુ જ વિચાર કરી રહી છે, પરંતુ એવું કઈ છે જ નહિ. હું આસ્વત કરું ચુ કે, તેઓ હાલમાં પણ ટીમનો એક ભાગ છે અને મને લાગે છે કે, ટી-૨૦ ફોર્મેટમાં પંત જેવા ખેલાડીને મૌકો આપવો જોઈએ.
મહત્વનું છે કે, એમ એસ ધોની છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ધોનીએ ૨૦૧૮માં અત્યારસુધીમાં રમેલી ૧૮ વન-ડે મેચની ૧૨ ઇનિંગ્સમાં ૨૫૨ રન બનાવ્યા છે, તેઓનું એવરેજ માત્ર ૨૫.૨૦નું રહ્યું છે. આ દરમિયાન ધોનીનો સર્વોચ્ચ સ્કોર ૪૨ રન અણનમ રહ્યો છે.