એકતા કપૂરના ફેમ શો ‘પવિત્ર રિશ્તા 2.0’ ની સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે. એક્ટર શાહિર શેખ ડિજિટલ પ્લેટફોર્મ એએલટી બાલાજી પર આવતા આ મોસ્ટ અવેઇટેડ શોમાં માનવની ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે અગાઉ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ‘પવિત્ર રિશ્તા’માં માનવની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિરિયલમાં તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડે અર્ચનાના રૂપમાં જોવા મળી હતી. જોકે આ વખતે પણ અંકિતા અર્ચનાના રૂપમાં જોવા મળશે.
અલ્ટ બાલાજીએ પવિત્ર રિશ્તા 2 નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં અર્ચના-માનવ ઉપરાંત અન્ય પાત્રો પણ જોવા મળે છે. છેલ્લા ભાગમાં માનવની માતાની ભૂમિકા નિભાવવા માટે પ્રખ્યાત બનેલી ઉષા નાડકર્ણી પણ આ વખતે તેની ભૂમિકામાં છે. આ સિવાય રણદીપ રાય પણ આ શોનો એક ભાગ છે.
આ પણ વાંચો :રજનીકાંતે છોડ્યું પોલિટીક્સ, રજની મક્કલ મંદ્રમનો કર્યો ભંગ
શોને પ્રોડ્યુસ કરી રહેલા ઑલ્ટ બાલાજીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર રવિવારે ‘પવિત્ર રિશ્તા 2’ના શૂટિંગની પ્રથમ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અંકિતા અને શહીરના હાથમાં ક્લેપબોર્ડ જોવા મળી રહ્યું છે. એક તસવીરમાં શહીર શેખ એક્ટ્રેસ ઉષા નાડકર્ણી સાથે જોવા મળી રહ્યો છે. જે શોમાં માનવની મમ્મીના રોલમાં જોવા મળશે.
આ તસવીરો શેર કરતાં લખવામાં આવ્યું છે, “ઘણીવાર આપણને અત્યંત સાધારણ જિંદગીમાં અસામાન્ય લવ સ્ટોરીઝ મળી જાય છે. માનવ-અર્ચનાની અસામાન્ય લવ સ્ટોરીના સાક્ષી બનો. પવિત્ર રિશ્તા 2નું શૂટિંગ શરૂ થયું છે. જલદી જ ઑલ્ટ બાલાજી પર પ્રસારિત થશે.”
આ પણ વાંચો :ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ, દમદાર છે અજય દેવગનના ડાયલોગ
તાજેતરમાં જ શોના કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સુરનાએ શાહિર શેખની પસંદગી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું- ‘પવિત્ર રિશ્તા 2.0 સંપૂર્ણ ડિજિટલ છે. આ બધા માટે એક પડકાર છે. જે કાર્ય છે તે માત્ર મારા માટે જ નહીં પણ અભિનેતા કલાકારો માટે પણ એક પડકાર છે. જો અમે નવો શો બતાવ્યો હોત તો બધું તાજું થતું, પરંતુ સિરિયલે પહેલેથી જ બેંચમાર્ક સેટ કરી દીધો છે, તેથી તે સરળ નહીં હોય.
તે જાણીતું છે કે પવિત્ર રિશ્તાના પહેલા ભાગમાં સુશાંત સિંહ રાજપૂતે માનવની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાને તેને દેશભરમાં ઓળખ મળી અને આજે પણ આ શો સુશાંત તરીકે ઓળખાય છે. સુશાંત પછી હિતેન તેજવાનીએ 2014 સુધી અંકિતાની અપોજિટ માનવની ભૂમિકા ભજવી હતી. હવે નવા માનવ એટલે કે શહિર શેઠ સાથે અર્ચનાની ઓન-સ્ક્રીન જોડી શું રંગ જમાવી શકે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો :મુંબઈમાં અભિનેતા સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ કરાઈ સીલ, આ છે કારણ