Not Set/ સુરત : ફાયર ટ્રેનરે ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલુ કર્યું

સુરતના ભેસ્તાન ફાયર સ્ટેશન ના ફાયર ટ્રેનર એ આજરોજ પાંડેસરા- ડિંડોલી રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતુ મુકીને મોતને વ્હાલુ કર્યું છે. પોલીસ તપાસમાં સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે તેની મરજીથી આપધાત કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ભેસ્તાન ફાયર સ્ટેશન માં મુળ પોરબંદરના રહેવાસી ભરત કોળીયાર નામના ફાયર ટ્રેનર તરીકે ફરજ […]

Top Stories Gujarat
ેીૂ ોોજુપોૂ સુરત : ફાયર ટ્રેનરે ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલુ કર્યું

સુરતના ભેસ્તાન ફાયર સ્ટેશન ના ફાયર ટ્રેનર એ આજરોજ પાંડેસરા- ડિંડોલી રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતુ મુકીને મોતને વ્હાલુ કર્યું છે. પોલીસ તપાસમાં સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે તેની મરજીથી આપધાત કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો.

srt aapghat 3 e1537356327203 સુરત : ફાયર ટ્રેનરે ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલુ કર્યું

છેલ્લા ઘણા સમયથી ભેસ્તાન ફાયર સ્ટેશન માં મુળ પોરબંદરના રહેવાસી ભરત કોળીયાર નામના ફાયર ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. અને ભેસ્તાન ફાયર સ્ટેશનમાં જ રહેતો હતો. મહત્વની વાત તો એ છે કે, ગઈકાલે ભરતનો જન્મદિવસ હતો જેથી તે ખુબ જ ખુશ પણ  હતો.

દરમિયાન આજે વહેલી સવારે અચાનક જ પાંડેસરા – ડિંડોલી રેલવે ટ્રેકને જોડતા બ્રિજ પરથી ટ્રેન નીચે પડતું મુકીને મોતને વ્હાલુ કર્યું હતુ. જેથી તેના શરીરના ચાર ટુકડા થઈ ગયા હતા. અને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ.

srt aapghat 6 e1537356352759 સુરત : ફાયર ટ્રેનરે ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલુ કર્યું

ઘટનાની જાણ થતાં ફાયર અધિકારી, રેલ્વે પોલીસ અને પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પોલીસ તપાસમાં એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં ભરતે પોતાની મરજીથી જ આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

srt aapghat 4 e1537356392353 સુરત : ફાયર ટ્રેનરે ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલુ કર્યું

જો કે આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જબાદાર હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે જન્મદિવસના બીજા દિવસે જ આપઘાત કરી લેતા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. હાલ તો પોલીસ પણ તપાસ કરી રહી છે.