Vande Bharat Express/ તેલંગાણામાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનના કાચ તૂટ્યા

વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ વખતે તેલંગાણાના મહબૂબાબાદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે

Top Stories India
Vande Bharat Express

 Vande Bharat Express:    વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ વખતે તેલંગાણાના મહબૂબાબાદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ ( Vande Bharat Express) મહબૂબાબાદના ઉપનગરમાં અજાણ્યા શખ્સોએ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. ટ્રેન સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. પથ્થરમારાને કારણે ટ્રેનના કાચને નુકસાન થયું હતું. ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રેકની તપાસ કરી. સાઉથ સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ રાકેશે જણાવ્યું કે આ ઘટના સાંજે બની જ્યારે ટ્રેન સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ જઈ રહી હતી. અમે તમામ એંગલથી તેની તપાસ કરી રહ્યા છીએ. ટ્રેન વિઝાગ પહોંચ્યા પછી, રેલવે પોલીસ અધિકારીઓ ટ્રેનની સ્થિતિનું નિરીક્ષણ કરશે.

ઉલ્લેખનીય છે કે ( Vande Bharat Express) આ પહેલા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ રેલવે પોલીસ ફોર્સ (RPF) એ પથ્થરમારો કરનારા ત્રણ શકમંદોની ઓળખ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અહીં કેટલાક તોફાની તત્વોએ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે ટ્રેનના બે કોચની બારીઓ તૂટી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટ્રેન ટ્રાયલ રન પૂર્ણ કર્યા બાદ વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનથી મારીપાલેમના કોચ મેન્ટેનન્સ સેન્ટર તરફ જઈ રહી હતી. આરપીએફએ સીસીટીવી ફૂટેજના આધારે શકમંદોની ઓળખ કરી હતી. આ કેસની તપાસમાં સ્થાનિક પોલીસ, આરપીએફએ સહકાર આપ્યો હતો.

Rishabh Pante Surgery/ઋષભ પંતે સર્જરી બાદ પહેલી તસવીર શેર કરીને લખ્યું….

Jammu Kashmir/ભારત ઈતિહાસમાં પ્રથમવાર જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં મળ્યો લિથિયમનો ભંડાર

નિવેદન/ તુર્કી ભૂકંપ મામલે વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીને જાણો શું કહ્યું…

Earth Quake/ 5 મોટા ભૂકંપ બાદ તુર્કી અને સિરિયાના અનેક શહેરોમાં વિનાશ

નવી દિલ્હી/PM મોદી પોતાના કપડાને લઈ વધુ એકવાર આવ્યા ચર્ચામાં, દેશવાસીઓને આપ્યો મોટો સંદેશ