diplomacy/ કેનેડાને સમન્સ આપ્યું, હવે બ્રિટનને પણ સમન્સ આપશે કેન્દ્ર સરકાર…?

10માં દિવસ પ્રવેશેલું ખેડૂત આંદોલન તિવ્રતાનાં મોડ પર આવી ઉભુ રહી ગયુ છે. ભારતની કેન્દ્ર સરકાર જો ખેડૂતોની માંગણીઓ પૂર્ણ નહી કરે તો આંદોલનકારી ખેડૂત સંગઠનો દ્વારા ભારતબંધની પણ ચીમકી આપી દેવામાં આવી છે. જો કે,

Top Stories World
britan Inadi and caneda કેનેડાને સમન્સ આપ્યું, હવે બ્રિટનને પણ સમન્સ આપશે કેન્દ્ર સરકાર...?

10માં દિવસ પ્રવેશેલું ખેડૂત આંદોલન તિવ્રતાનાં મોડ પર આવી ઉભુ રહી ગયુ છે. ભારતની કેન્દ્ર સરકાર જો ખેડૂતોની માંગણીઓ પૂર્ણ નહી કરે તો આંદોલનકારી ખેડૂત સંગઠનો દ્વારા ભારતબંધની પણ ચીમકી આપી દેવામાં આવી છે. જો કે, તમામ બાબતમાં આગળ શું તે આજે યોજાનારી ખેડૂત અને સરકાર વચ્ચેની પાંચમી બેઠક બાદ સ્પષ્ટ થશે. ખેડૂત મામલે હવે દુનિયાભરનાં દેશો પોતાની પ્રતિક્રિયાઓ અને સરકારને સલાહ પણ આપી રહ્યા છે. જો કે, ખેડૂત આંદોલન ભારતનો નિજી મામલો છે અને આ મામલે કોઇને દખલ ન કરવાનું કહેવુ તે ભારત સરકારનો સ્થાપિત હક છે, સરકારે કેનેડાનાં મામલે આ હકનો ઉપયોગ કરી પણ લીધો છે. પરંતુ હવે આવી જ વણમાંગી સલાહ બ્રિટનનાં 36 સાંસદો દ્વારા આપવામાં આવી છે. હવે સરકારનું સ્ટેન્ડ આ મામલે વિદેશી દેશો સાથે કેવુ હશે તે જોવુ અનેક રીતે મહત્વનું છે.

આપને જણાવી દઇએ કે, દેશના ઘણા લોકો ખેડુતોના સમર્થનમાં આગળ આવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. હવે ધીરે ધીરે આ આંદોલન વિદેશમાં પણ પહોંચી રહ્યું છે. આખી દુનિયામાં વસતા શીખ અને પંજાબીઓ ખેડુત પણ હવે આંદોલનમાં જોડાઇ રહ્યા છે. દરમિયાન, યુકેના કેટલાક સાંસદોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ બિલ પર ચર્ચા કરવાની વાત કરી છે. આપને જણાવી દઈએ કે ભારતીય મૂળના અને પંજાબ સાથે જોડાયેલા બ્રિટનનાં 36 સાંસદોએ કૃષિ બીલો અંગે આ મુદ્દો પીએમ મોદી સમક્ષ ઉઠાવ્યો છે.

Farmers Protest / ખેડૂત આંદોલનનાં વિશ્વભરમાં પડધા, કેનેડા પછી 36 બ્રિટિશ સાંસદ…

 બ્રિટિશ સાંસદોની માંગ શું છે

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ” અમે યુકેમાં અને પંજાબ સાથે સંકળાયેલા શીખો માટે ખાસ ચિંતીત છીએ, જોકે તેનું ભારણ અન્ય ભારતીય રાજ્યો પર પણ છે. ઘણા બ્રિટીશ શીખ અને પંજાબીઓએ આ મામલો તેમના સાંસદો સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો છે. કારણ કે તેની અસરો તેમના પંજાબમાં વસતા પોતાનાં કુટુંબના સભ્યો અને પૂર્વજોની સીધી અસરથી પ્રભાવિત છે. ” ભારતના ત્રણ કૃષિ કાયદાઓના પ્રભાવ વિશે તાજેતરમાં કેટલાક સાંસદોએ ભારતીય ઉચ્ચ કમિશનને પત્ર લખ્યો હતો, એ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ “ખેડૂતોને શોષણથી બચાવવા અને તેમની ઉપજની યોગ્ય કિંમત સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે”.

બ્રિટિશ સાંસદો પણ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલન અંગે ટિપ્પણી કરી રહ્યા છે. બર્મિંગહામ એજબેસ્ટનના લેબર સાંસદ અને બ્રિટિશ શીખ માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટરીના અધ્યક્ષ પ્રીત કૌર ગિલએ દિલ્હીના વિરોધની તસવીરો પર પ્રતિક્રિયા આપી હતી તેણીએ કહ્યું હતું કે,  “ભારતના ખેડૂત બિલમાં વિવાદાસ્પદ મુદ્દા બાબતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. નાગરિકો સાથે કડકાઇથી વર્તવું તે આ સમસ્યાનો કોઈ માર્ગ નથી. ખેડુતો શાંતિપૂર્ણ રીતે વિવાદિત બીલોનો વિરોધ કરી રહ્યા છે, જેની આજીવિકાને અસર કરશે. તેમણે કહ્યું કે તેમને શાંત કરવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી.

Farmers Protest / ચાલો જાણીએ, 10માં દિવસમાં પ્રવેશેલ ખેડૂત આંદોલનની 10 મહત્વની…

ઉલ્લેખનીય છે કે ભારતે કેનેડાને ચેતવણી આપી, કહ્યું – સંબંધો બગડશે

શુક્રવારે, કેનેડાના હાઇ કમિશનરને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યું હતું અને કહ્યું હતું કે કેનેડિયન વડા પ્રધાન દ્વારા કેટલાક ખેડૂત મંત્રી અને સાંસદો દ્વારા ભારતીય ખેડુતો પર કરવામાં આવેલી રેટરિક એ આપણા આંતરિક બાબતોમાં અસ્વીકાર્ય દખલ છે. ‘ વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે જો આ ચાલુ રહેશે તો તેના ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પર ગંભીર પરિણામો આવશે. અમારા નિવેદનો અને કોન્સ્યુલેટની સામે કેનેડામાં આ નિવેદનોથી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ વધી છે, જેનાથી સુરક્ષાની ચિંતા વધી છે.

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે અમને આશા છે કે કેનેડા સરકાર ભારતીય રાજદ્વારી અધિકારીઓનું સંપૂર્ણ રક્ષણ સુનિશ્ચિત કરશે અને તેના નેતાઓ ઉગ્રવાદી સક્રિયતાને પ્રોત્સાહન આપતી ઘોષણાઓથી દૂર રહેશે. ભારતે અગાઉ પણ કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમણે ઘરેલુ મામલામાં દખલ ન કરવી જોઇએ.

ભારત સરકારનું આ મામલે ભાવી સ્ટેન્ડ શુ હશે…..

મહત્વનું છે કે, ભારત સરકારે કેનેડીયન હાઇકમિશનને સમન્સ પાઠવી આ મામલે દુર રહેવા અને ભવિષ્યમાં આવી ટીપ્પણી ન કરવાનું કહી દીધુ છે. પોતાની અંગત અને આંતરીક બાબતોમાં કોઇ પણ દેશની દખલ અંદાજી તેમની ભારત સાથેની રાજદ્વારી રિલેશનસીપ પર વિપરીત અસરો કરી શકે છે તેવી ભારત દ્વારા સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે. પરંતુ આ સ્પષ્ટતા પછી કોઇ સરકારે સીધું જ નહીં, પરંતુ જે તે દેશનાં સાંસદોએ અંતગ રીતે ભારત સરકારને ફરી આ મામલે યોગ્ય કરવા કહેણ નાખ્યું છે. શું ભારત સરકાર બ્રિટનનાં સાંસદોનાં આ મામલે પગલાને સાખી લેશે કે બ્રિટનને પણ સમન્સ મોકલશે તે જોવાનું રહ્યું….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…