સુરત,
સુરતના રોડ ઉપર કેમિકલના ટેન્કરમાંથી કેમિકલ કાઢતા સમયે તેના દુર્ગંધથી બે લાકોના મોત થયા છે. જો કે ધટના વિસ્તારથી જાણીએ તો બે શખ્સો અને ડ્રાઇવર મળીને ટેન્કર ખાલી કરતા હતા.
તે દરમિયાન કેમિકલના દુર્ગંધથી ત્રણેયનો શ્વાસ રૂંધાયો હતો અને બે લોકોના ધટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ડ્રાઇવરને સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે, પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના સામે આવી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
