સુરત ફાયર વિભાગે તહેવારો સમયે જ ફાયર સેફટી ને લઈને સપાટો બોલાવ્યો છે. વારંવાર નોટિસ આપવા છતાંય વિવિધ શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનો દ્વારા ફાયર સેફ્ટીના લાઇસન્સ લેવામાં ટાલમટોલ કરી રહ્યા હતા. આગામી દિવાળીના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુ થી સુરત ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના બેગમપુરા ખાતે પશુપતિ માર્કેટની દુકાનોને વારંવાર નોટિ આપવા છતાંય ફાયર લાઇસન્સ ને લઈને ઢીલ વર્તવામાં આવતી હતી. જેને લઈને ફાયર વિભાગે માર્કેટ ની દુકાનોને સીલ કરી દીધી છે. સાથે સાથે કતારગામ ખાતે મહેતા પેટ્રોલ પંપ, શ્રીજી બિલ્ડીંગ સીલ વિગેરે ને પણ નોટિસ આપી સીલ કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.