સુરતના કતારગામ ખાતે દર્દીને મફત સેવા પૂરી પાડતી કિરણ હોસ્પિટલ ચર્ચા માં આવી છે. અંહી મફત સેવાને નામે દર્દીઓ પાસેથી પૈસા વસુલતા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય સરકારની આરોગ્ય યોજના હેઠળ જે દર્દીઓ કિરણ હોસ્પીટલમાં આવે છે તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુકેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે પણ જે તે દર્દીના ક્લેમ વસૂલ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે રાજ્યના આરોગ્ય કમિશનરને ફરિયાદ કરવામાં આવતા આ ગેરરીતિનું તથ્ય બહાર આવ્યું છે.
આરોગ્ય કમિશનરનાં આદેશથી સુરતની કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલને મળેલી “માં યોજના” અને “અખિલ ભારતીય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”નો આર્થિક લાભ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.