Vadodara News: વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં દુષ્કર્મ કેસ રહીરહીને ઉખળ્યો છે. જગત પાવન દાસ સ્વામીએ 2016માં સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. જૂના કોઠારી સ્વામીએ દુષ્કર્મ આચર્યુ હતુ. તેમણે સગીરાના ન્યૂડ ફોટા કર્યા હતા અને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકી આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ.
પીડિતાએ આઠ વર્ષ પછી વાડી પોલીસ મથક ખાતે ભૂતપૂર્વ કોઠારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મની ફરિયાદ બાદ કોઠારી સ્વામી જગત પાવનદાસ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ હવે પૂર્વ કોઠારી સ્વામી જગત પાવન દાસને શોધવા હવામાં બાચકા ભરી રહી છે.
પોલીસે કોર્ટમાં સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન લીધું છે. પોલીસે વર્ષોથી મંદિરે દર્શન કરવા આવતા 17 ભક્તોના નિવેદન પણ લીધા છે. પોલીસે સ્વામીના વર્તન અને હાલ સ્વામી ક્યાં છે તે અંગે ભક્તોની પૂછપરછ કરી છે.
આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે
આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ