Sports/ T20 વર્લ્ડ કપ 2021માંથી ટીમ ઈન્ડિયા બહાર, પાકિસ્તાન પહોચ્યું સેમી ફાઈનલમાં

ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઇનલમાં પહોંચી, ભારત બહાર

Top Stories Sports
સેમીફાઈનલમાં જગ્યા T20 વર્લ્ડ કપ 2021માંથી ટીમ ઈન્ડિયા બહાર,

જ્યારે T20 વર્લ્ડ કપ 2021નું શેડ્યૂલ જાહેર થયું ત્યારે આ ટૂર્નામેન્ટની સૌથી મોટી દાવેદાર ટીમ ઈન્ડિયા હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓથી ભરેલી ટીમ દરેક પ્રતિસ્પર્ધી માટે મોટો ખતરો હતો. પરંતુ ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને આ ટીમ સુપર-12 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન પર ન્યૂઝીલેન્ડની જીત સાથે, T20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઇનલમાં પહોંચનારી ટીમ નક્કી થઈ ગઈ હતી જેમાં ભારતનું નામ નથી. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને 2007માં ટી20 ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયાનો સફાયો થઈ ગયો છે.

T20 વર્લ્ડ કપમાં આજે ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું. ન્યૂઝીલેન્ડે 125 રનના ટાર્ગેટનો પીછો કરતા 18.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. આ સાથે ન્યુઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલિયમસન 40 અને ડેવોન કોનવે 36 રન બનાવી અણનમ રહ્યા હતા. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નજીબુલ્લાહ ઝદરાનની 48 બોલમાં 73 રનની જોરદાર ઈનિંગના આધારે ટીમે ન્યૂઝીલેન્ડ સામે જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. કિવી તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય ટીમ પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગઈ હતી. આ પછી ન્યુઝીલેન્ડે પણ તેને એકતરફી રીતે 8 વિકેટથી હરાવ્યું હતું. આ બે હાર ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો સાબિત થઈ અને પછીની બે મેચ જીતવા છતાં નિરાશ થઈ. ચાલો તમને જણાવીએ કે, આ ટૂર્નામેન્ટમાં ખૂબ જ મજબૂત ટીમ ઈન્ડિયાએ આવી કઈ ભૂલો કરી, જેના કારણે તે સેમીફાઈનલ થી બહાર થી ગયી છે.

ટીમ ઈન્ડિયાની નિષ્ફળતાનું પહેલું મોટું કારણ

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝ સુધી શાનદાર દેખાઈ રહી હતી. પરંતુ IPL 2021 ના ​​અંત સુધીમાં બધું બદલાઈ ગયું. હાર્દિક પંડ્યાની ઈજાને કારણે ટીમ ઈન્ડિયાનું સંતુલન ખોરવાઈ ગયું છે. ટીમે તેને નિષ્ણાત બેટ્સમેન તરીકે તક આપી અને પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા માત્ર 5 બોલરો સાથે મેદાનમાં ઉતરી. પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયા એક પણ વિકેટ લઈ શકી ન હતી અને પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમ અચાનક ખૂબ જ નબળી દેખાવા લાગી હતી.

ટીમ ઈન્ડિયાની નિષ્ફળતાનું બીજું મોટું કારણ

રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા બેટ્સમેનથી સજ્જ ટીમ ઈન્ડિયાએ વોર્મ-અપ મેચોમાં શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ લીગ સ્ટેજ શરૂ થતાં જ બધા ફ્લોપ થઈ ગયા હતા. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટોપ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. આટલું જ નહીં, પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમ એટલી નર્વસ થઈ ગઈ કે તેણે ઓપનિંગને બદલે રોહિત શર્માને ત્રીજા નંબરે ઉતારી દીધો. દુબઈની પીચ પર બેટ્સમેનોએ એટલા રન બનાવ્યા ન હતા કે બોલરો તેના માટે લડી શકે.

ટીમ ઈન્ડિયાની નિષ્ફળતાનું ત્રીજું મોટું કારણ

ભારતીય ટીમની નિષ્ફળતાનું ત્રીજું સૌથી મોટું કારણ બોલરોની ખોટી પસંદગી હતી. ટીમ ઈન્ડિયા એક સમયે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા બે રિસ્ટ સ્પિનરો સાથે ફિલ્ડિંગ કરતી હતી, પરંતુ આ આખી ટૂર્નામેન્ટમાં વિરાટ એન્ડ કંપનીએ રિસ્ટ સ્પિનરને પ્લેઈંગ ઈલેવનમાં રાખ્યો નહોતો. સૌપ્રથમ, યુઝવેન્દ્ર ચહલના અનુભવને આધારે રાહુલ ચહરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તે પછી આ બોલરને પ્લેઈંગ ઈલેવનમાં જ તક આપવામાં આવી ન હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા પ્રથમ બે મેચની વચ્ચેની ઓવરોમાં વિકેટ પણ લઈ શકી ન હતી.

ટીમ ઈન્ડિયાની નિષ્ફળતાનું ચોથું મોટું કારણ

ટીમ ઈન્ડિયાની હારનું ચોથું મોટું કારણ ટોસ પણ હતું. દુબઈમાં ડે-નાઈટ મેચોમાં, પ્રથમ બેટિંગ કરતી ટીમને હંમેશા રન બનાવવામાં મુશ્કેલી પડતી હતી અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ બે મોટી મેચોમાં ટોસ ગુમાવ્યો હતો. રાત્રે પડી રહેલા ઝાકળને કારણે પાકિસ્તાને 152 રનનો ટાર્ગેટ આસાનીથી મેળવી લીધો હતો અને ન્યૂઝીલેન્ડે પણ આરામથી 111 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની નિષ્ફળતાનું 5મું મોટું કારણ

બાયો-બબલ થાક પણ ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ હતું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમ્યા બાદ તરત જ યુએઈ પહોંચ્યા અને આઈપીએલ 2021 રમવાનું શરૂ કર્યું. T20 વર્લ્ડ કપ 2021 IPL 2021 પછી તરત જ શરૂ થયો. બાયો-બબલ થાક અને વધુ પડતું ક્રિકેટ ખેલાડીઓ પર ભારે સાબિત થયું છે અને તેનો ઉલ્લેખ ખુદ કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે કર્યો છે.

હવામાન / અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન, માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના

દ્વારકા / પાક.ની ફરી નાપાક હરકત, ફિશિંગ બોટ પર કર્યું ફાયરીગ, એક માછીમારનું મોત

ગજબ છે ..! / અનોખું ગામ જ્યાં મહિલાઓના વાળ તેમની લંબાઈ કરતા વધુ લાંબા હોય છે

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ગજબ છે ..! / રેલવે સ્ટેશન કે એરપોર્ટ?  અહીની વિશ્વકક્ષાની સુવિધાઓ જોઈ ચોક્કસથી આંખો અંજાઈ જશે

World / ડ્રેગન બનાવી રહ્યું છે ખતરનાક જૈવિક હથિયાર, વિશ્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે