તેલંગાણા પોલીસે અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી લગભગ અઢી કિલોગ્રામ સોનાના દાગીનાની ચોરી કરવા માટે એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની ધરપકડ કરી હતી. આ કાર અકસ્માતમાં કારમાં બેઠેલા 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં માર્યા ગયેલા 2 સોનાના વેપારીઓના સંબંધીઓ તરફથી ફરિયાદ નોંધાવ્યાના 24 કલાકની અંદર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
હકીકતમાં એક અકસ્માત બાદ થયા બાદ મૃતક અને ઘાયલને હોસ્પિટલમાં લઈ જવા માટે 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને 3.300 કિલો સોનાના આભૂષણ સોંપી દેતાં તેણે કહ્યું કે તે તેઓને મૃતક પાસેથી મળ્યા છે. આ અંગે પોલીસ અધિકારીઓએ પણ તેમની પ્રશંસા કરી હતી. ત્યારબાદ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બંને ભાઇઓ, 55 વર્ષિય શ્રીનિવાસ રાવ અને 45 વર્ષીય કે. રામબાબુના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી કે 2.300 કિલો સોનાના ઘરેણાં સાથે ગાયબ છે.
નાબાલિક પુત્રી સાથે યુવક ગુજારી રહ્યો હતો બળાત્કાર, માતા અચનાક આવીને આ બધું જોઇ ગઇ અને..
આ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતાં એમ્બ્યુલન્સ સ્ટાફની પૂછપરછ કરતાં ચોરી પકડાઇ હતી. રામાગુંડના પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું હતું કે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને એમ્બ્યુલન્સ ડ્રાઇવર જી.વી. લક્ષ્મણ રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ તકનો લાભ લીધો અને તેમની સાથે 2.300 કિલો સોનાના આભૂષણ રાખ્યા.
કાર ચાલકના ખિસ્સામાંથી સોનાના ઘરેણા પણ મળી આવ્યા
બીજી એમ્બ્યુલન્સના કર્મચારીએ કાર ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિના ખિસ્સામાંથી 1 કિલો સોનાના આભૂષણો મળ્યા હતા અને તેઓએ તે પણ પોલીસને સોંપ્યા હતા. મૃતકો આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના રહેવાસી છે, જે સોનાના આભૂષણનો વેપાર કરતો હતો. તેમની કાર મલિયાલપલ્લી ગામ નજીક પલટી ગઈ હતી. પોલીસ કમિશનરે એમ પણ કહ્યું હતું કે, ચોરીના કેસ સાથે સંબંધિત 2.300 કિલો સિવાયના અન્ય સોનાના દાગીનાના બીલની તપાસ કરવામાં આવી રહી છે.
ઝાડ સાથે બાંધીને મહિલા પર બળાત્કારનો પ્રયાસ, પહેલા વાળ કાપ્યા અને પછી બનાવ્યો વીડિયો