મહારાષ્ટ્રનાં થાણેની એક ખાનગી હોસ્પિટલમાં ભયાનક આગ લાગી છે. આ ઘટનામાં અત્યાર સુધી 4 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે થાણેનાં મુબ્રા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલનાં આઈસીયુમાં આગ લાગી હતી. જે બાદ અંધાધૂંધી ફેલાઇ હતી. આગને કારણે અત્યાર સુધી આઈસીયુમાં દાખલ ત્રણ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કહેવાય છે કે ઘટના સમયે આઈસીયુમાં કુલ 8 દર્દીઓ દાખલ થયા હતા. આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
માસ્કમાંથી મુક્તિ / રસી મુકાવી ચૂકેલા લોકોને બહાર જવા માટે માસ્કની જરૂર નથી, ભીડથી બચવું પડશે,ઇઝરાઇલ બાદ અમેરિકાએ જાહેર કર્યો આદેશ
પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ મોડી રાત્રે 3.45 વાગ્યે હોસ્પિટલનાં આઈસીયુમાં લાગી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આઈસીયુમાં દાખલ દર્દીઓની બીજા હોસ્પિટલમાં દાખલ કરવા દરમિયાન 4 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. જોકે, આગને કાબૂમાં લેવામાં આવી છે કે નહીં, તે હજી જાણી શકાયું નથી. આ સિવાય હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી.
મુલાકાત / સેનાપ્રમુખ નરવણે પહોંચ્યા સિયાચીન અને પૂર્વી લદ્દાખ,શહીદ સૈનિકોના મૃતદેહો આજે એરલિફ્ટ કરાશે
આ પહેલા ગુરુવારે મુંબઈથી લગભગ 70 કિલોમીટર દૂર પાલઘર જિલ્લાનાં વિરારની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં 15 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત તિરૂપતિ નગરમાં 4 માળની વિજય વલ્લભ હોસ્પિટલનાં બીજા માળે આવેલા આઈસીયુ વોર્ડમાં સવારે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો. આગ આઈસીયુ સ્થિત ચાર માળની હોસ્પિટલનાં બીજા માળે લાગી હતી. જેમાં 15 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવ્યું હતું કે, આ અકસ્માત ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે થયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષી નેતા (વિધાનસભા) દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મૃતકોનાં પરિવારોને પાંચ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી, જ્યારે વડા પ્રધાન મોદીએ દરેક મૃતકોનાં પરિવારોને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી.