દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું ગઈકાલે બપોરે તમિલનાડુના કન્નુરમાં હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આજે બિપિન રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને લશ્કરી વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે એટલે કે શુક્રવારે જનરલ રાવતના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. લોકો સવારે 11 થી 2 વાગ્યા સુધી રાવતને અંતિમ સલામી આપી શકશે.
આવતીકાલે 2 વાગ્યા પછી રાવતની અંતિમયાત્રા શરૂ થશે. તેમની અંતિમ યાત્રા કામરાજ માર્ગથી શરૂ કરવામાં આવશે અને દિલ્હી છાવણીના બ્રાર સ્ક્વેર સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
બિપિન રાવતના નિધનને કારણે તેમના ગૃહ રાજ્ય ઉત્તરાખંડમાં ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત તમામ વિપક્ષી નેતાઓએ પણ જનરલ બિપિન રાવત અને અન્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
બુધવારે, CDS, જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો સાથે વેલિંગ્ટનમાં નીલગિરી હિલ્સ, વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજના સ્ટાફ કોર્સના અધ્યાપક અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તમિલનાડુના કુન્નુર પાસે સૈન્યનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેમનું મોત થયું.
ઉલ્લેખનીય છે કે આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા અને હેલિકોપ્ટર ક્રેશ થતાં તમામ 14 લોકોના માેત નિપજ્યાં હતાં.સમગ્પ દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે.