પોરબંદરના સમુદ્ર કિનારેથી મળી અજાણ્યા વ્યક્તિની લાશ
પોલીસે ગુનો નોધી મરનાર શખ્સની ઓળખવિધિ હાથ ધરી
પોરબંદરના સમુદ્રકિનારેથી અજાણ્યા વ્યક્તિની લાશમળી આવી છે. લાશ મળી આવી હોવાની જાણ પોલીસને કવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચીને લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના સમુદ્ર કિનારે રાજમહેલના પાછળના ભાગેથી લાશ મળી આવી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી અજાણ્યા વ્યક્તિની લાશને પીએમ અર્થે મોકલી છે. તેમજ મરનાર વ્યક્તિની હત્યા કરવા આવી કે અગમ્યકારણોસર તેનું મોત થયું તે તરફ તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે હાલ પોલીસે પીએમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી અક્સમાતે મોતનો ગુનો નોધીને મારનાર શખ્સના વાલી વારસોને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.