- સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો વિડીયો વાયરલ
- બ્રહ્માજી અને ઇન્દ્રદેવ વિશે કરી વિવાદીત ટીપ્પણી
- મૃત્ર વિસર્જનમાં બ્રહ્માજી તળાયાનું વિવાદીત નિવેદન
- વિવાદીત નિવેદનથી ધર્મ પ્રેમી જનતામાં ભારે રોષ
છેલ્લા બે દિવસથી સતત ભગવાન પર વિવાદિત ટિવ્વણીના સ્વામીનારાયણ સંતના વીડ્યો સોશિયલ મીડિયા પુર ખુબ વાયરલ થઇ રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર નવો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ભગવાન વિરૂદ્વ ટિપ્પણી કરી રહ્યા છે.સ્વામીનારાયણના સંતે મૃત્ર વિસર્જનમાં બ્રહ્માજી તળાયાનું વિવાદિત નિવેદન આપતા સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે બ્રહ્માજી અને ઇન્દ્રદેવ વિશે વિવાદિત નિવેદન કરતા હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સ્વામીનારાયણના સ્વામી રૂગનાથચરણદાસજીએ મહાદેવ પર ટિપ્પણી કરી હતી,જેમાં તેમણે મહાદેવજીને કુસ્તીમાં હારવવાનો કર્યો હતો દાવો. આ વીડિયમાં અનેક વિવાદિત ટિપ્પણીઓ ભગવાન ભોલેનાથ પર કરી છે. આ વીડિયોથી સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓ દુભાઇ છે.આ પહેલા આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાદ વિવાદ સર્જાયો હતો આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો હતો આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો બાદમાં તેમણે માફી માંગી લીધી હતી.