ગુજરાતના મોરબીમાં થયેલ દુર્ઘટના મામલે અનેક સવાલો ઉભા થયા છે. રિનોવેશન કરનાર ઓરેવા કંપની પર પણ વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે. હવે તે આક્ષેપો વચ્ચે ઓરેવા કંપનીનો એક પત્ર સામે આવ્યો છે જે મોરબીના કલેક્ટરને લખવામાં આવ્યો હતો. તે પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઓરેવા કંપનીને બ્રિજનો કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો બ્રિજનું સંપૂર્ણ સમારકામ શક્ય નહીં બને.આ પત્રથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓરેવા કંપનીને બ્રિજનો કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો પુલનું રીપેરિંગ નહીં થઈ શકે. ઓરેવા કંપની તરફથી બે વર્ષ પહેલા 20 ઓગસ્ટ 2022ના રોજ મોરબીના કલેક્ટરને આ પત્ર લખવામાં આવ્યો હતો.
શું કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળવાના કારણે ઓરેવાએ પોતાનું કામ યોગ્ય રીતે નથી કર્યું? જે પ્રકારના મટીરિયલનો ઉપયોગ થવાનો હતો, રીપેરિંગમાં જે વસ્તુઓની જરૂર હતી, શું તેને નજરઅંદાજ કરવામાં આવી? જે પત્ર સામે આવ્યો છે, તે મોરબીના કલેક્ટરથી લઈને ઓરેવા કંપની સુધી બધાને શંકાના સ્થાને મૂકે છે.