સુરેન્દ્રનગર/ મુળીના સરા ગામે આઠ મહિના પહેલા બંધાયેલો કોઝવે વરસાદ પહેલાં જ તુટી ગયો

મુળી તાલુકાનાં સરા ગામે ગામ પંચાયત દ્વારા આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેમાં રૂપિયા બે લાખ નાં ખર્ચે તળાવ નાં માર્ગે શિતળા માતાજીના મંદિર પાસે કોઝવે નું કામ કરવામાં આવ્યું હતું.

Gujarat
4 3 5 મુળીના સરા ગામે આઠ મહિના પહેલા બંધાયેલો કોઝવે વરસાદ પહેલાં જ તુટી ગયો

મુળી તાલુકાનાં સરા ગામે ગામ પંચાયત દ્વારા આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેમાં રૂપિયા બે લાખ નાં ખર્ચે તળાવ નાં માર્ગે શિતળા માતાજીના મંદિર પાસે કોઝવેનું કામ કરવામાં આવ્યું હતું. આ કામ ને ફક્ત આઠ મહિના જેટલો સમય થયો છે ત્યારે હજું વરસાદ પણ નથી થયેલ ત્યાં જ કોઝવે તુટી જવા પામ્યો છે.

આ કામ વરસાદમાં લોકો ને ઉપયોગી થાય તે માટે કરવામાં આવેલ હતું આ બાબતે જાગૃત નાગરિક દ્વારા વિડિયો વાયરલ કરી સમગ્ર ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી નો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ કોઝવે ઉપરથી ૨૫ મકાન નાં રહીશોને વરસાદમાં કોઈ તકલીફ  ન પડે તે માટે બનાવેલો પરંતુ વરસાદ પહેલાં જ કોઝવે માં મોટી તિરાડો પડી ફાટી ગઇ છે. આ બાબતે ગ્રામ પંચાયત માં પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ સંદર્ભે સરાનાં રાજુભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે નબળી ગુણવત્તાનો સિમેન્ટ વાપરવામાં આવ્યો છે માટે કોઝવેની આવી હાલત થઇ. જ્યારે સરાના બાબુભાઈ મકવાણા,મહેશ પરમાર, દલાભાઈ સોલંકી, વિજયભાઈ અને રમેશભાઇએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી કરી સરકારી નાણાંનો ગેર‌ઉપયોગ નજરે નિહાળી શકાય છે. પરંતુ  તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી.