- કેન્દ્ર સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી
- કોરોનાકાળમાં વધુ એક બ્રહ્માસ્ત્ર
- પહેલા ખાનગી હોસ્પિટલમાં મળશે
- નેઝલ વેક્સિનથી કોરોના સામે મળશે રક્ષણ
- આ વેક્સિન બૂસ્ટર ડોઝ તરીકે લાગી શકશે
- નાકના માધ્યમથી આ રસી આપવામાં આવશ :
Central government ભારત સરકારની મંજૂરી બાદ આજથી કો-વિન પોર્ટલમાં અનુનાસિક રસીનો સમાવેશ કરવામાં આવશે. ચીનમાં વધી રહેલા કોરોનાના પ્રકોપને જોતા હવે ભારત સરકારે તેને મંજૂરી આપી છે. તેનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે કરવામાં આવશે.આજથી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં કોરોના વાયરસ માટેની નોઝલ રસીનો પણ સમાવેશ કરવામાં આવશે અને તે ખાનગી હોસ્પિટલોમાં સૌથી પહેલા ઉપલબ્ધ થશે. ભારતમાં કોરોનાને લઈને ભારત સરકારે પહેલેથી જ તૈયારી કરી લીધી છે. આ અંગે સતત ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે.
પીએમ મોદીએ ગત દિવસે કોરોના પર યોજાયેલી બેઠકમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પરીક્ષણ અને દેખરેખના પગલાંને મજબૂત કરવા પર ભાર મૂકતા આત્મસંતુષ્ટતા સામે ચેતવણી આપી હતી. તેમણે દરેક સમયે કોવિડ-યોગ્ય વર્તન પર ભાર મૂક્યો, ખાસ કરીને આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, જેમાં ભીડવાળા જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનો સમાવેશ થાય છે.
નોધનીય છે કે વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેના લીધે સમગ્ર દુનિયામાં ફરીવાર દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે, ચીનમાં જે રીતે કોરનાની વિસ્ફોટ સ્થિતિ જોવા ળમી રહી છે તેના પરથી જગતના દેશો એલર્ટ થઇ ગયા છે .વિશ્વમાં કોરોના વધતા કેસ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસતરીય બેઠક ગઇકાલે યોજી હતી અને ભારતમાં કોરોના સ્થિતિ સામાન્ય રહે તે માટે અગમચેતી પગલા ભરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.અગમચેતી પગલાં ભરીને ટેસ્ટીગ અને માસ્ક પહેરવા પર ભાર આપવામં આવ્યો છે.