New Delhi: પર્વતારોહક અને ઉદ્યોગપતિ આનંદ બંસોડે નર્વસ હતો… તે તેની મંગેતર સાથે ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યો હતો અને તેને ખબર ન હતી કે તે તેને કેવી રીતે લેશે. આનંદ કહે છે કે છોકરીઓ સામાન્ય રીતે ધામધૂમથી લગ્નની કલ્પના કરે છે. પણ મારો વિચાર કંઈક જુદો હતો. તેથી, જ્યારે તેણે તેની મંગેતર અક્ષયતાને કહ્યું કે તે અનાથાશ્રમમાં લગ્ન કરવા માંગે છે અને બંધારણનો ધાર્મિક ગ્રંથ તરીકે ઉપયોગ કરવા માંગે છે, ત્યારે તેણે આશા નહોતી રાખી કે તેની મંગેતર આનંદથી કૂદી પડશે. મંગેતર તેની સાથે સંમત થઈ ગઈ હતી. અક્ષયતા ઘણું વાંચે છે અને સામાજિક મુદ્દાઓમાં ખૂબ રસ ધરાવે છે, તેથી તેને આ વિચાર ગમ્યો. ચાર મુખ્ય પર્વત શિખરો પર ચડતી વખતે પણ બંસોડેએ બંધારણની પ્રસ્તાવના પોતાની પાસે રાખી હતી.
કેટલાક યુગલો લગ્નમાં તેમના આદર્શો પર ભાર મૂકે છે
ભારતમાં, લગ્ન માત્ર વર-કન્યા માટે જ નથી પરંતુ તેમના પરિવારો અને સમગ્ર સમાજને ધ્યાનમાં લઈ લગ્ન કરવામાં આવે છે. ધામધૂમથી લગ્નો કરવા એ સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. તેમ છતાં એવા ઘણા લોકો છે જેઓ ભવ્ય ભારતીય લગ્નની વિધિઓને છોડી દે છે, અને તેના બદલે તેમના વ્યક્તિગત આદર્શો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ કરીને તમે તમારા લગ્નને માત્ર ખાસ જ નથી બનાવી રહ્યા પરંતુ સમાજને પણ એક સંદેશ આપી રહ્યા છો.
રાજસ્થાનમાં અનોખા લગ્ન
ગયા મહિને મમતા મેઘવંશી અને કૃષ્ણ કુમારે એક અનોખા સમારોહમાં લગ્ન કર્યા. રાજસ્થાનમાં રહેતા આ વકીલ દંપતિએ લાંબા સમયથી ‘બંધારણીય’ અથવા બંધારણ સમક્ષ લગ્નની ઈચ્છા અંગે ચર્ચા કરી હતી. મમતા કહે છે, “અમે એવા ભવ્ય લગ્ન ઇચ્છતા ન હતા જ્યાં મહિલાઓ ધાર્મિક વિધિઓથી બંધાયેલી હોય.” તેથી, તેઓએ તેમના મોટા દિવસની શરૂઆત એક નાનકડી વીંટી પહેરાવીને સમારંભ યોજ્યો હતો. ત્યારબાદ સાત ફેરા ફરી સાત વચન આપી લગ્નના તાંતણે બંધાયા હતા.. મમતાના પિતા દલિત કાર્યકર ભંવર મેઘવંશીની મદદથી તેમના અનોખા શબ્દોની રચના કરવામાં આવી હતી.
આ દંપતી એક જ જાતિના હોવા છતાં સ્પેશિયલ મેરેજ એક્ટ (SMA) હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કુમાર કહે છે કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ તમારે પંડિત અને મેરેજ કાર્ડની કોપી જોઈએ છે. તેથી, અમે સ્પેશિયલ મેરેજ એક્ટને પસંદ કર્યું. આપણે જેને પ્રેમ કરીએ છીએ તેની સાથે લગ્ન કરવાનું પસંદ કરીએ છીએ.
‘બંધારણે સંબંધોના સિદ્ધાંતો સમજાવ્યા છે’
આનંદ બંસોડે જણાવે છે કે, “અમારો સંબંધ સમાનતા, સ્વતંત્રતા અને વિશ્વાસ પર ટકેલો છે. આ સિદ્ધાંતોને બંધારણમાં ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યા છે. 26 જાન્યુઆરી, 2016 ના રોજ, વકીલ દંપતીએ તેમના નજીકના પરિવાર અને મિત્રો સાથે અનાથાશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે એકબીજાને હાર પહેરાવી, પ્રસ્તાવના વાંચીને તેમના લગ્નવિધિ સંપન્ન કરી અને અનાથાશ્રમના બાળકોને ભોજનનું દાન કર્યું.
આ વકીલ દંપતિ અન્યોને પણ આવું કરવા પ્રેરણા આપી રહ્યા છે. વિનય કુમારે છેલ્લા ત્રણ વર્ષથી ટોટ બેગ્સ અને પોસ્ટકાર્ડમાં માધ્યમથી બંધારણ વિશે જાગૃકતા પેદા કરવાનું કામ કર્યું છે. ગત વર્ષે તેમણે લગ્ન કરનાર એક મહિલાનો સંદેશો મળ્યો. જેમાં બંધારણના અનુચ્છેદો ટાંકેલા પોસ્ટકાર્ડ ગિફ્ટ મળ્યું હતું. કુમારેન જણાવ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરી રહ્યા છે.
લગ્ન મંડપમાં આંબેડકરનો ફોટો
અબી આર અને દેવિકા દેવરાજને પ્રેમ લગ્ન કર્યા, બંધારણની સાક્ષીએ. બંને જણા સામાજીક કાર્યોમાં આગળ. તેમના લગ્ન બંધારણ દ્વારા અધિકારોને ઉજાગર કરવાના, તેમના કામને આગળ વધારવાનો અવસર બની ગયો. 22 ઓક્ટોબર, 2023ના રોજ બંનેએ પ્રભુતામાં પગલાં પાડ્યા. લગ્નમંડપમાં જવાહરલાલ નેહરૂ અને બાબાસાહેબ આંબેડકરના ફોટા હતા. લગ્નમાં 1000 મહેમાનોને મુખ્ય અનુચ્છેદોની કોપી આપવામાં આવી. આનંદ બંસોડેના લગ્ન મહારાષ્ટ્રમાં ચર્ચાવા લાગ્યા. કેટલાકે તેમણે સમર્થન આપ્યું, તો ઘણાંએ વિરોધ કર્યો. તેમણે જણાવ્યું કે અમારો મુખ્ય ધર્મ ભારત છે.