Ahmedabad News/ ખ્યાતિકાંડ મામલે આ ત્રણને સામસામે બેસાડી પૂછપરછ કરશે ક્રાઈમ બ્રાન્ચ

પણ પૂછપરછ કરવાનો ક્રાઈમ બ્રાન્ચે નિર્ણય લીધો છે.

Top Stories Gujarat

Ahmedabad News: ખ્યાતિકાંડમાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ(Kartik Patel)ના ક્રાઈમ બ્રાન્ચ(Crime Branch)ને 10 દિવસના રિમાન્ડ મળ્યા છે, સાથે તેના સાગરિતો ચિરાગ રાજપૂત (Chirag Rajput) અને રાહુલ જૈન(Rahul Jain)ની પણ પૂછપરછ કરવાનો ક્રાઈમ બ્રાન્ચે નિર્ણય લીધો છે.

ખ્યાતિકાંડની શરૂઆત કેવી રીતે થઈ, પ્રધાનમંત્રી જન ધન યોજના(PMJAY)માં કૌભાંડ કેવી રીતે કર્યુ, કેટલા લોકોને ફાયદો કરાયો છે વગેરેનો પર્દાફાશ થવાની શક્યતા છે. કાર્તિક પટેલે પૈસા કમાવવાની સાથે સ્વચ્છ છબી પણ બનાવી હતી જેનાથી કૌભાંડની શંકા ન જાય. ચિરાગ રાજપૂતે હોસ્પિટલના વ્યવસાયમાંથી પૈસા કેવી રીતે કમાવવા અને અન્ય વ્યવસાયો કેવી રીતે સેટલ કરવા તે અંગે લાલચ આપી હોવાનું જાણવા મળ્યું છે.

કૌભાંડનું કાર્તિક પટેલ અને રાહુલ જૈન બધું જ જાણતા હતા. ધરપકડ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના નિવેદનો પહેલા નોંધવામાં આવ્યા હતા, પરંતુ હવે કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની પૂછપરછ કરવામાં આવશે જેથી સત્ય ઝડપથી સામે આવે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બંને આરોપીઓને ટ્રાન્સફર વોરંટ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખ્યાતિકાંડ: વોન્ટેડ કાર્તિક પટેલની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

આ પણ વાંચો:PMJAY કાર્ડમાં કૌભાંડ, માત્ર રૂપિયા 1500માં કાર્ડ બનતું હોવાનું ખ્યાતિકાંડની તપાસમાં ઘટસ્ફોટ

આ પણ વાંચો:ખ્યાતિકાંડ મામલામાં આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર