રાજકોટમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં રોજ કેસની સંખ્યા 100ને પાર કરી જાય છે, ત્યારે રાજકોટ મનપા અને કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યાં અને કોરોના સંક્રમણને અટકાવવા ઘડી રહ્યા છે. કોરોના કહેર વચ્ચે શહેરમાં વેક્સિનેશન પણ વધારવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે આજે વેક્સીનેશન વડીલોને આપવામાં આવી હતી.જેમાં 100 થી વધુ વડીલોને વેક્સિન આપવામાં આવી.
તેમજ રાજકોટ મનપા દ્વારા શહેરના જૈન સમાજના ૧૫ થી વધુ મહાસતિજીઓએ કોરોનાની વેકિસીન આપવામાં આવી હતી. જ્યારે રાજકોટના જૈન ધર્મના મહાસતીજીઓએ વેક્સિનેશન લઈ અને સમાજને પ્રેરણાની પૂરી પાડી હતી.