દિલ્હી/ મચ્છરની કોઇલ સળગાવીને સૂતો હતો પરિવાર, આગ લગતા 6 લોકોના થયા મોત

દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં, એક જ પરિવારના 6 લોકો રાત્રે રૂમમાં મચ્છરોને ભગાડવા માટે મોર્ટિન સળગાવીને સૂતા હતા ત્યારે દુઃખદ રીતે મૃત્યુ પામ્યા હતા, જ્યારે 3 અન્યની સ્થિતિ ગંભીર છે. તેમને નજીકની જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories India
મચ્છરની કોઇલ

દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં એક જ પરિવારના છ સભ્યો તેમના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. જણાવવામાં આવી રહ્યું છે કે, મચ્છરની કોઇલ અને ગાદલામાં આગ લાગવાને કારણે ફેલાતા ધુમાડામાં પરિવારના 6 લોકો ગૂંગળાવી ગયા, જ્યારે 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં, એક જ પરિવારના 6 લોકો રાત્રે રૂમમાં મચ્છરોને ભગાડવા માટે મોર્ટિન સળગાવીને સૂતા હતા ત્યારે દુઃખદ રીતે મૃત્યુ પામ્યા હતા, જ્યારે 3 અન્યની સ્થિતિ ગંભીર છે. તેમને નજીકની જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થળ પહેલા માળે એક રૂમ છે જેમાં કુલ 9 લોકો સૂતા હતા. મૃતકોમાં 4 પુરુષ, 1 મહિલા અને દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. તે જ સમયે, 15 વર્ષની છોકરી સહિત 2 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે શુક્રવારે સવારે 9 વાગ્યે શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશનમાં PCR કોલ આવ્યો હતો કે મજાર વાલા રોડ, માછી માર્કેટ, શાસ્ત્રી પાર્ક પાસેના એક ઘરમાં આગ લાગી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જાણવા મળ્યું કે તમામ 9 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 6 લોકોના મોત થયા હતા.

આગનું કારણ

એવું જાણવા મળ્યું છે કે રાત્રે કોઈક સમયે ગાદલાની ઉપર સળગતી મચ્છરની કોઇલ પડી હતી. ઝેરી ધુમાડાને કારણે રૂમમાં સૂતેલા લોકો બેહોશ થઈ ગયા હતા અને બાદમાં શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત થયા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:મેં તો ભગવાન પાસે મોત માંગ્યું,કેન્સર સામે ઝઝૂમી રહેલા નવજોત સિંહ સિદ્ધુની પત્નીનું ભાવુક ટ્વીટ

આ પણ વાંચો:શું નીતિન ગડકરી રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છે? આપ્યો આ સ્પષ્ટ જવાબ

આ પણ વાંચો:ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો

આ પણ વાંચો:રામનવમી પર આગચંપી કરવા મામલે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર,’તમારી હિંમત કેવી રીતે

આ પણ વાંચો:PM મોદીએ નવા સંસદ ભવનની લીધી મુલાકાત, બાંધકામ કામદારો સાથે કરી આ વાત