ફાયર ફાઈટર વિભાગની ૧૫ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોચી
આજુબાજુના જીલ્લ્માંથી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોચી

ફાયર ફાઈટરની ૩ ગાડીઓ ઘટના સ્થળે પહોચી વાપી જીઆઈડીસીમાં અવાર નવાર આગની ઘટના બનતી હોય છે. વાપી જીઆડીસીમાં આવેલ ટ્રેડીગ કંપનીના ગોઙાઉનમાં અચાનક આગ ની ઘટના બનતા ભાગદોડ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ૧૫ કરતા વધુ ગાડીઓ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો.
વાપી જીઆઇડીસીમાં આવેલ ટ્રેડીંગ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠવા પામી હતી. ત્યારેઆગ લાગી હોવાની જાણ જીઆઇડીસીમાં આવેલી આજુબાજુની કંપનીમાં કામ કરતા લોકોને થતા જીઆઇડીસીમાં નાસ ભાગ મચી જવા પામી હતી. જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ૧૫ થી ગાડીઓ ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કંપનીના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલમાં ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આગ બેકાબુ બનતા ફાયર વિભાગ દ્વારા આજુબાજુના જીલ્લામાંથી વધુ ગાડીઓ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
