મોરબી/ મોરબીની હોસ્પિટલમાંથી અંગ દાનનો પ્રથમ કિસ્સો આવ્યો સામે

શિવમ રમેશભાઈ ખાસા (આહીર) ઊ.વ ૧૫ નું આયુષ મલ્ટી સુપર સ્પેસીયાલીટી  હોસ્પિટલ ખાતે બ્રેન ડેડ થતા પાંચ અંગો બે કિડની,લીવર ,ફેફસ અને હાર્ટ નું દાન કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 24T143732.061 મોરબીની હોસ્પિટલમાંથી અંગ દાનનો પ્રથમ કિસ્સો આવ્યો સામે

આપણે ગણી જગ્યા પરથી અંગ દાન થવાના કિસ્સાઓ સાંભળ્યા હશે આવોજ એક કિસ્સો મોરબીની હોસ્પિટલ માંથીસામે આવ્યો છે જ્યાં શિવમ રમેશભાઈ ખાસાનું આયુષ મલ્ટી સુપર સ્પેસીયાલીટી  હોસ્પિટલ ખાતે બ્રેન ડેડ થતા પાંચ અંગો બે કિડની,લીવર ,ફેફસ અને હાર્ટ નું દાન કરવામાં આવ્યું હતું.અને વહેલી સવારે તમામ અંગોને પોલીસ પ્રોટેક્શન સાથે અમદાવાદ ની જુદી જુદી હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા અને આ તકે હાજર તમામ લોકોએ શિવમ અમર રહો ના નારા લગાવી પુષ્પવર્ષા કરી હતી.

મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેસિયાલીટી હોસ્પિટલ ખાતે મૂળ કચ્છ ના ભુજ તાલુકા ના જીકડી ગામે ખેડૂત રમેશભાઈ  તેમના વ્હાલસોયા દીકરા ને આઠ દિવસ પહેલા મગજ ની બીમારી ના કારણે મોરબી ની આયુષ મલ્ટી સુપર સ્પીસીયાલીટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને ડોકટરો ની ટીમ દ્વારા સારવાર બાદ બ્રેનડેડ જાહેર કરાયા હતા ત્યાર બાદ ડૉક્ટરો ની ટીમ દ્વારા અંગોનું દાન કરવા માટે ની માહિતી સમજાવી હતી. સેવાભાવી એવા આહીર પરિવારે એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમ ને અનેક જીવ માં જીવતો રાખવા માટે સહમતી આપી હતી.

પરિવાર ના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા (પિતા), કંકુબેન રમેશભાઈ ખાસા (માતા) , રીનાબેન (બહેન) , રિતેશભાઈ(મોટાભાઈ) , માવજીભાઈ અને હરિભાઈ (મોટા બાપા) તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા , માવજીભાઈ કરશનભાઈ આહીર , નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા , માવજીભાઈ પુનાભાઈ ખાસા , હરિ કાનજીભાઈ ખાસા , બાબુભાઈ કાનજીભાઈ ગાગલ દ્વારા શિવમ ના અંગદાન માટે સહમતી આપી, ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા ખુબ ઓછી છે. ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ ના અંગદાન ની કોઈ પહેલ કરતું નથી મૃત્યુ પછી શરીર નીશ્ચેતન બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો કીડની, લીવર, હાર્ટ , ફેફસા વગેરે અંગોના ફેલ્યોર વાળા દર્દીઓ ને નવી જિંદગી આપી શકે છે. દુનિયા માં વાસ કરી રહેલા કોઈ બીમાર કે તન:સહાય વ્યક્તતને કામ આવી શકે છે.

ધારો કે કોઈ વ્યક્તત અંધ છે અને અન્ય વ્યક્તિ નું મૃત્યુ થયા પછી કે પહેલા એણે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિ ને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તતની આંખો થકી દુનિયા ને જોઈ શકે છે. આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિ નું બ્રેઈન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, ફેફસાં,  પેંક્રિયાઝ વગેરે નું દાન કરવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું ટ્રાન્સપ્લાન્ટ કરીને તે વ્યક્તિ ને કોઈ મોટી બીમારી કે બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુ થી બચી શકે છે.

ત્યારે અંગદાન જાગૃતિ અંગે આજ થી એક મહિના પહેલા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના દિલીપભાઈ દેશમુખ ની હાજરી માં આયુષ હોસ્પિટલ ખાતે IMA ના ડોકટરો અને આયુષ હોસ્પિટલ ના તમામ ડોકટરો અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તેના પરિણામ સ્વરૂપ આજરોજ મોરબી જિલ્લા ની કોઈ હોસ્પિટલ માં પ્રથમ અંગદાન શક્ય બન્યું હતું આજરોજ મોરબી જિલ્લા માંથી કોઈ હોસ્પિટલ માં થયેલ હોય તેવું પ્રથમ શિવમભાઈ નું બંને કિડની નું દાન SOTTO ખાતે ફાળવવા માં આવેલ છે. અને ફેફસાં તથા લીવર નું દાન KD હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે જેમાં અંગો નું રીટ્રાઇવલ માટે KD હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ડૉ.અમિત શાહ , ડૉ. હાર્દિક યાદવ , ડૉ. મહેશ બી એન , ડૉ. રીતેશ પટેલ સહિત ટીમ ના ડોકટરો એ જહેમત ઉઠાવી હતી તેમજ શિવમ ને બ્રેઇન ટ્યુંમર હોવાથી તેની આંખોનું કોઈને દાન કરી શકાયું નથી. દાન થયેલ અંગો સરળતા થી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચના થી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ ખાતે રવાના કરવામાં આવેલ હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ