રાજકોટ.
રાજકોટમાં ડેંગ્યુ તાવનાં કારણે મોટાભાગનાં રહેવાસીઓ ત્રસ્ત છે. ત્યારે આજે રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા શહેરની અલગ-અલગ સરકારી કચેરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જેમાં ગઇ કાલે રાજકોટની જિલ્લા પંચાયત, બહુમાળી ભવન, એ.જી કચેરી, કલેકટર ઓફિસ, જૂની કલેકટર ઓફિસમાં ચેકિંગ દરમિયાન આ તમામ જગ્યાએ ડેંગ્યુ ફેલાવતા એસિડ મચ્છરોના પોરાં મળી આવ્યા હતા.
ત્યારે આજે ફરી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી પ્રેસ અને નામાંકિત ખાનગી હોસ્પિટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગે કચેરીમાં પાણીના ફિલ્ટર પ્લાન્ટ, પક્ષીકુંજ, પાણીઓની ટાંકી,ઓફિસોના પડતર ભાંગરના રૂમમાં ચેકીંગ હાથ ધર્યું હતું.
મહત્વનું છે કે ડેંગ્યુ ફેલાવતા એસિડ મચ્છર દિવસે જ કરડતા હોવાથી સરકારી કચેરીઓમાં સૌથી વધુ લોકો આવતા હોય છે જેને લઈને ડેંગ્યુ થવાનો ભય વધારે રહે છે.