પાકિસ્તાનમાં હિન્દૂ અલ્પસંખ્યકો સામે હિંસક કૃત્યો અટકાવવા હવે જે હિન્દૂ વેપારી સાથે પાકિસ્તાનની પોલિસે દ્વારા જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે તે જાણીને તમે હેરાન થઇ જશો.
પાકિસ્તાની માનવ અધિકાર કાર્યકર્તા અને બ્લોગર કપિલ દેવએ એક ટ્વિટ કરીને દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં શિકારપુર પોલીસે એક હિન્દૂ માણસની મૂછો, માથું અને આઈબ્રો શેવ કરી અત્યાચાર ગુજાર્યો હતો. આપને જણાવી દઈએ કે પોલીસએ હિન્દુ વેપારી સાથે આ પ્રકારનો વ્યવહાર માત્ર એ માટે કર્યો હતો કારણ કે તેણે તેના ગ્રાહકોને ઉધારી પર નાણાં આપ્યા હતા.
આ બાબત પર માનવ અધિકાર કાર્યકર્તા કપિલ દેવએ ટ્વિટ્સ કરીને લખ્યું છે કે,
શિકારપુરમાં પોલીસે એક હિન્દૂ વેપારી ચુનીલાલણને પોતાના ગ્રાહકોણે ઉધાર પર નાણા ધીરવાના આરોપમાં તેનું માથું, મૂછો અને આઈબ્રોની હજામત કરી હતી. તેમને પ્રશ્ન કરતા પૂછ્યું હતું કે, આ માટે કોઈ કાયદો છે?
આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં હિન્દૂ અલ્પસંખ્યકો સામે ભેદભાવ અને અત્યાચાર થતા હોવાના કારણે તેમની વસ્તી સતત ઘટતી જાય છે.
1947 ના ભાગલા દરમિયાન મોટા પ્રમાણમાં સામૂહિક હિંસા દરમિયાન પાકિસ્તાન અને હિન્દુસ્તાન બે જુદા જુદા દેશોમાં વિભાજિત થયા હતા. તે સમય દરમિયાન હજારો હિંદુ ભારતથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાન ગયા. એક પ્રખ્યાત પાકિસ્તાની સમાચારપત્ર ડૉન અનુસાર, જે લોકો જેમને ભાગલાના સમયમાં પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું તે હિંદુઓની વસ્તી ઘટીને આજે લગભગ 190 મિલિયન જ રહી ગઈ છે.