પ્રવીણ ડાભી જે જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે તેમ છતાંય તેઓ પોતાનો ખુદનો ધંધો ચાલું કરીને આત્મનિર્ભર બનવાનો સંદેશ આપી રહ્યાં છે. પ્રવીણભાઈ ખેડા જીલ્લાના બામરોલી ગામમાં રહે છે અને પોતાની પત્ની અને દિકરી સાથે રહે છે. તેઓ પોતાના પરિવારનો નિર્વાહ કરે છે. તેમણે લોકોને સાબિત કરી બતાવ્યું છે કે મનોબળ મક્કમ હોય તો ઈન્દ્રીયની ગમે તેટલી ત્રૂટિ હોય છતા આત્મનિર્ભર બની શકાય છે.
જણાવી દઈએ કે પ્રવીણ ડાભી જાતે પગલુછણિયા બનાવીને સેવાકિય વડોદરા સ્થિત સંસ્થાને તેઓ પ્રત્યેક પગલુછણિયા વેચે છે. તેમણે જાતે બાનાવેલા પગલુછણિયા 100 રૂપિયાથી લઈને 150 રૂપિયામાં વેચે છે. કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, જે પ્રવીણ ડાભીએ સાબિત કરી બતાવ્યું છે.
આ પણ વાંચો: corona vaccination / 12 થી 17 વર્ષના કિશોરોને કોવોવેક્સ રસી અપાશે, 5-12 વર્ષ સુધી રસીકરણ અંગે હજુ કોઈ નિર્ણય નથી
આ પણ વાંચો: Pakistani drone / અમૃતસરમાં પાકિસ્તાની ષડયંત્ર નિષ્ફળ, ‘મેડ ઇન ચાઇના’ ડ્રોન પકડાયું
આ પણ વાંચો: Video / AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ભાષણ દરમિયાન રડ્યા, કહ્યું, જુલમ કરનારાઓ સાંભળો…