રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. વધતાં કેસોને લીધે શાળાઓ પણ બંધ કરાઇ હતી. તેમજ અનેક પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામા આવૈ હતી. જે હવે કોરોના કેસ ઘટતા પરીક્ષાઓ ફરીથી શરૂ કરાઇ છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો 14મી ડીસેમ્બરથી પ્રારંભ થવાનો હતો જો કે હાલમાં પોલસીખાતાની પરીક્ષા અને ગ્રામપંચાયતની ચૂંટણી પણ આગામી 19મીએ યોજાવાની હોવાથી જેથી મોટાભાગના પ્રોફેસરો ચુંટણી ફરજ પર હોય યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે.
આ પણ વાંચો ;ગુજરાત / ગ્રામ પંચાયતની ચુંટણી માટે ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ
મહત્વનુ છે કે પરીક્ષા 22મી ડીસેમ્બરથી શરૂ થશે જેમાં બી.એ સેમ-3, બી.બી.એ સેમ-3(2016), બી.બી.એ સેમ-3(2019), બી.સી.એ(2016,2019), બી.કોમ સેમ-3, બી.એસ.સી સેમ-3, બી.એસ.સી.આઇટી સેમ-3, બી.પી.એ સેમ-3, બી.એસ.સી.બાયો ઇન્ફો, બી.એસ. સી હોમ સાયનસ સેમ-3, બી.એસ. ડબ્લ્યુ સેમ-3, એલ. એલ. બી સેમ-3, બી.એ (બી.એડ) સેમ-3ના 58 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરિક્ષા યોજાશે.
આ પણ વાંચો:ભય / ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં નોંધાયો પ્રથમ કેસ
ઉલેખનીય છે કે આ ઉપરાંત કેટલાક પ્રોફેસરોને પણ ચૂંટણી ફરજ સોંપવામાં આવી હોવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા મોડી લેવાનું નક્કી કર્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016થી 2019 સુધીના જુદા જુદા કોર્સના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા હવે આગામી તારીખ 22થી 31 ડિસેમ્બરે યોજાશે. પરીક્ષા બપોરે 2.30થી 5 કલાક દરમિયાન લેવાશે. જેમાં બી.કોમ સેમેસ્ટર-3ની પરીક્ષા સવારના સેશનમાં 10થી 12.30 કલાક દરમિયાન લેવાશે.