સાવન મહિનામાં, શિવભક્તો દેશના તમામ ભાગોમાં કાવડ યાત્રા કાઢે છે અને ભગવાન શિવનો જલાભિષેક કરે છે. બિહાર સરકારના બિહાર ફાઉન્ડેશને તેના ટ્વિટર હેન્ડલ પર જાપાનની રાજધાની ટોક્યોમાં કાઢવામાં આવેલી કાવડયાત્રાની માહિતી શેર કરી છે. જણાવી દઈએ કે ભગવા રંગના કપડામાં સજ્જ શિવભક્તોએ ટોક્યોના શ્રી રાધા કૃષ્ણ મંદિરથી કાવડયાત્રાની શરૂઆત કરી અને સૈતામા શિવ મંદિરમાં મહાદેવનો જલાભિષેક કરીને કાવડ યાત્રાનું સમાપન કર્યું. આ દરમિયાન શિવભક્તોએ કાવડમાં ગંગાજળ લઈને 80 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. કાવડયાત્રા માટે બિહારના સુલતાનગંજથી ગંગા જળ ટોકિયો લાવવામાં આવ્યું હતું.
જાપાનમાં નીકળી કાવડ યાત્રા
તમને જણાવી દઈએ કે જાપાનમાં ભારતના રાજદૂત સી.બી. જ્યોર્જે કાવડયાત્રાના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપી હતી. મળતી માહિતી મુજબ, જાપાનમાં આયોજિત આ કાવડ યાત્રામાં લગભગ 500 શિવભક્તોએ ભાગ લીધો હતો. આ કાવડયાત્રામાં માત્ર ભારત જ નહીં નેપાળ અને શ્રીલંકાના લોકોએ પણ ભાગ લીધો હતો.
82 KM લાંબી કાવડ યાત્રા
કાવડ યાત્રા શ્રી રાધા કૃષ્ણ મંદિરથી શરૂ થઈ હતી. ત્યારબાદ સૈતામા શિવ મંદિરે જલાભિષેક સાથે કાવડ યાત્રાનું સમાપન થયું હતું. કાવડમાં ગંગાજળ લઈને શિવભક્તોએ લગભગ 82 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. બિહારના સુલતાનગંજથી કાવડનું ગંગાજળ ટોક્યો લઈ જવામાં આવ્યું હતું. જાપાનમાં કાવડ યાત્રામાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાવડ યાત્રામાં શું થાય છે?
જણાવી દઈએ કે સાવન મહિનામાં કાવડ યાત્રા કાઢવામાં આવે છે. ભક્તો ગંગા નદીમાંથી પાણી લાવે છે અને પગપાળા મંદિરે જાય છે અને તેની સાથે શિવલિંગનો જલાભિષેક કરે છે. યુપી, બિહાર અને દિલ્હીમાં કાવડ યાત્રાનો ઘણો ક્રેઝ છે. લોકો હરિદ્વાર અને અન્ય તીર્થસ્થાનો પર જાય છે અને કલશમાં ગંગાનું જળ લઈને શિવલિંગને અર્પણ કરે છે. આ વખતે ભારતની બહાર જાપાનમાં પણ કાવડ યાત્રા કાઢવામાં આવી હતી.
આ પણ વાંચો: આત્મઘાતી હુમલો/પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો થતા 2 લોકોના મોત,7થી વધુ ઇજાગ્રસ્ત
આ પણ વાંચો:China-Heatwave/ચીનમાં 52.2 ડિગ્રી તાપમાન સાથે વિક્રમજનક ગરમી
આ પણ વાંચો:J Robert Oppenheimer/‘હું બની ગયો છું મૃત્યુ’, અણુબોમ્બ બનાવનાર વિજ્ઞાની ઓપેનહાઇમરે ગીતામાંથી લીધી હતી શીખ; શોધને જણાવાયું વિનાશકારી
