- રાજ્ય સરકારે વધાર્યું મોંઘવારી ભથ્થું
- સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 8 ટકાનો વધારો
- 1 જુલાઈ 2023થી ચાર ટકાનો વધારો અમલી
- 9 લાખ 38 હજાર કર્મચારી, પેંશનરોને મળશે લાભ
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોઘવારી ભથ્થામાં વધારો કરવાની મોટી જાહેરાત કરી છે. સરકારે મોંઘવારી ભથ્થમાં 8 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. આ વધરાે 1 જુલાઇ 2023થી ચાર ટકાનો વધારો અમલી બનશે. આ મોંઘવારી ભથ્થાનો લાભ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. 9 લાખ 38 હજાર કર્મચારીઓને લાભ મળશે.
ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો આપવામાં આવશે તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-૦૧-૦૧-૨૦૨૩ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.