દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે કોરોનાનો આંક સતત વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ 12,131 નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ4046 માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક માં 628નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1999, કેસ, રાજકોટમાં 958,ગાંધીનગરમાં કેસ નોંધાયા 271 છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 22,070 કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 1,07,915 કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો11,42,054 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 10,14,501 ગઇ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો
રાજ્યમાં કોરોનાથી આજે 30 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12,131 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 4046 કેસ
વડોદરામાં 1999, સુરતમાં 628 કેસ
રાજકોટમાં 958, ગાંધીનગરમાં 271 કેસ
છેલ્લા 24 કલાકમાં 22,070 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,07,915
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 11,42,054
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 10,14,501