19 મી સદીનાં મહાનાયક ‘શેર-એ-પંજાબ’ મહારાજા રણજીત સિંહની પાકિસ્તાનનાં લાહોરમાં પ્રતિમાને ત્રીજી વખત તોડવામાં આવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આરોપી રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો – ક્યાં કડક નિયંત્રણો ? / આસામમાં 18 ઓગસ્ટથી આસામમાં નાઇટ કર્ફ્યુ,મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપી ચેતવણી
આપને જણાવી દઇએ કે, ભારતીય ઇતિહાસ સાથે સંકળાયેલા પ્રતીકો પ્રત્યે નફરતનું બીજું ઉદાહરણ પાકિસ્તાનમાં જોવા મળ્યું જ્યાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાને ફરી એકવાર તોડવામાં આવી છે. આ કૃત્ય તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન સાથે સંકળાયેલા વ્યક્તિએ કર્યું હતું. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પ્રતિમા તોડનારા લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. મૂર્તિ તોડનાર આ વ્યક્તિ તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે. તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન એટલે કે TLP પાકિસ્તાનમાં એક રાજકીય પક્ષ છે. જણાવી દઇએ કે, આ મૂર્તિ પર આ ત્રીજો હુમલો છે. અહેવાલો અનુસાર, હુમલાખોરોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો બતાવે છે કે શંકાસ્પદ હુમલાખોરે મૂર્તિ પર તેના હાથથી હુમલો કર્યો અને પ્રતિમાનાં પગ અને અન્ય ભાગો તોડી નાખ્યા. જો કે, તે વધુ નુકસાન પહોંચાડે તે પહેલા ત્યા હાજર અન્ય લોકો આવ્યા અને તેને અટકાવ્યો હતો. વળી, પોલીસે જણાવ્યું છે કે હુમલાખોરો માને છે કે મુસ્લિમ દેશમાં શીખ શાસકની પ્રતિમા સ્થાપિત કરવી તેમના ધર્મ વિરુદ્ધ છે. જણાવી દઇએ કે, પૂછપરછ દરમિયાન આ આરોપીએ કહ્યું છે કે તેણે નફરત અને કટ્ટરતાને કારણે આવું કર્યું છે. આ દરમિયાન આરોપી યુવકે જણાવ્યું હતું કે મૌલાના ખીમ હુસૈન રિઝવીએ તેમના ભાષણોમાં મહારાજા રણજીત સિંહ પર મુસ્લિમોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેથી જ મહારાજા રણજીત સિંહને નફરત કરે છે.
જૂન 2019 માં મહારાજાની 180 મી પુણ્યતિથિએ લાહોર કિલ્લા પર નવ ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમામાં, રણજીત સિંહને ઘોડા પર બેઠેલા, હાથમાં તલવાર અને શીખ પોશાકમાં દર્શાવવામાં આવ્યા હતા. શીખ સામ્રાજ્યનાં પ્રથમ મહારાજા સિંહે લગભગ 40 વર્ષ સુધી પંજાબ સહિત ભારતીય ઉપખંડનાં મોટા ભાગ પર શાસન કર્યું. 1839 માં તેમનું અવસાન થયું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દરેક લોકો આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.